SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જ ગાથા અસર અને મારા બને આધાર બની છે. પરિણામ અસર અને માત્રાવૃત્તની વિશેષતા ગાથામાં જોવા મળે છે. વૈદિક છંદોની જેમ તાલ સાથે ગાઈ શકાય છે. આ ઉપરાંત સંગીતના વાદ્યોના તાલ અને લયની સાથે ગાઈ શકાય છે. ગુરુ–લઘુ સ્વરોના ઉચ્ચારણ સાથે સમય મર્યાદાને ઉપયોગ કરીને જે સંગીત નીપજાવવામાં આવે છે. તે એક ગણનાપાત્ર પ્રાગ હતે. કેટલીક વાર આ પદ્ધતિને કારણે અક્ષર અથવા માત્રાભંગ થતું હતું. શુદ્ધતાના અતિ આગ્રહી સંસ્કૃત પંડિતે માટે તે અસહ્ય હતું. પિંગલના છંદશાસ્ત્રમાં માત્રાવૃત્તની ચર્ચા ઉપરાંત વૈતાલીય છંદોની ચર્ચા ઉપલબ્ધ થાય છે. આમ સંસ્કૃત છંદશાસ્ત્રમાં ગાથા, ચતુર્માત્રા અને વૈતાલીયની કુળના છંદોની ચર્ચા સંસ્કૃત છંદ સાથે જોવા મળે છે. જ્ઞાનાશ્રીના કર્તા, વૃત્ત ગાનિસમુચના કર્તા કવિ વિરહાક અને હેમચંદ્રાચાર્યજી ઈત્યાદિએ પ્રાકૃત છંદોના પ્રકારે, નામ, વર્ગ, બંધારણ અને તેની વિશેષતાઓ પર સોદાહરણ ચર્ચાઓ અને અભ્યાસપ્રદ લખાણ કર્યું છે. તેમના ગ્રંમાં ઉલેખીત તાલ સંગીતના પ્રાચીની વિશેષ માહિતી મળતી નથી. પણ પંચમાત્ર, ષણમાત્ર, સપ્તમાત્ર અને અષ્ટમાત્ર તેમજ તેના ગુણોત્તરની ચર્ચા તેમણે કરી છે. પ્રાકૃત છાંદસ રચનામાં આ તાલ માત્રાના પ્રકારે સુંદર ગેયત્વ લક્ષણને અભિપ્રેત છે. પ્રશિષ્ટ પ્રાકૃત કવિ પોતાની રચનાને પ્રસિદ્ધ લેકસંગીતકારની જેમ પોતાની રચનાને ગેય કરતે નહીં કારણકે તે પણ શુદ્ધ ઉચ્ચારણ, અક્ષરબંધ ઇત્યાદિથી સંચિત રહેતો હતો. * પ્રાકૃતભાષાના અને વિશેષતઃ અપભ્રંશ ભાષાના કવિઓ કેટલીકવાર વર્ણવૃત્તોની ઉપગ પોતાની રચનામાં કરતા હતા. તેમાં પણ સંગીત અને તાલને 5 વર્ણવૃત્તોને પ્રાધાન્ય આપતા હતા. ડાં હરિ દાદર વેલણકરના મંતવ્ય મુજબ કાલીદાસના વિકમેવઊંયમની સાહિત્ય અકાદમીની સંપાદન કૃતિ વખતે ચેથા અંકના પ્રાકૃત છંદને વિશેષ અભ્યાસ કરતા ૧૯ પ્રાકૃત અને ૧૨ અપભ્રંશ કાવ્ય પંક્તિ (લેક) વિશેષ નોંધપાત્ર છે તેમ તેમણે જણાવ્યું છે. કાલિદાસના
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy