SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ ૫૩ સંક્રમણ થયું છે. તે જોઈ બુદ્ધદાસ વિચાર કરવા લાગ્યો કે–આ પરમ શ્રાવિ. કાની આવી વિપરીત વાત કેમ સંભવે? અથવા વિષયો બલવાન છે, એમ વિચારી તે સુભદ્રા તરફ મંદ નેહવ ળ થયે. સુભદ્રાએ આ વૃત્તાંત કેઈ પણ પ્રકારે જાણી લીધે. પછી સુભદ્રા તે અસત્ય અપવાદ દૂર કરવાને રાત્રિમાં શાસનદેવીના સાનિધ્ય માટે કાયોત્સર્ગ કરી ઊભી રહી. તેના શીલની જાણકાર શાસનદેવી પણ સુભદ્રા પાસે આવી અને કહ્યું કે, “હે ભદ્રે ! હું હારું શું પ્રિય કરું ?” આ વચન સંભળી સુભદ્રા બોલી કે હે દેવિ ! મારા અપવાદને દૂર કરી તમે જૈન શાસનની પ્રભાવના કરે. દેવીએ જવાબ આપ્યો કે-હું પ્રભાતે ચંપાનગરીના દરવાજા બંધ કરી નગરીના લોકો જ્યારે આકુળવ્યાકુળ થશે ત્યારે આકાશમાં રહીને આ પ્રમાણે બાલીશ કે, “જે સ્ત્રી મન, વચન અને કાયાથી નિર્મળ શીળવાળી હોય તે ચાળણીમાં જળ સ્થાપી, તે જળથી દરવાજાનાં કમાડને ત્રણ વાર છાંટે એટલે કમાડો ઉઘડી જશે. અને જ્યારે નગરની બીજી સ્ત્રીઓથી ચલણમાં જળ ન રહે ત્યારે તેમની સમક્ષ તું તેમ કરી બતાવજે, એટલે તારે અપવાદ દૂર થશે અને કીર્તિ ફેલાશે.” પછી સુભદ્રાએ દેવીના આદેશ પ્રમાણે નગરીના ત્રણ દ્વાર ઉઘાડી ચેાથું દ્વાર કોઈપણ અન્ય સતી હશે તે ઉઘાડશે, એમ ધારી ત્યાંથી પાછી ફરી. આમ થવાથી ચંપાનગરીમાં જૈનશાસનની પ્રભાવના થઈ અને સુભદ્રાને શ્વસુરવર્ગ, રાજા અને સંપૂર્ણ નગર પ્રતિબંધ પામ્યું. આવા પ્રકારની કેટલીએક ઉત્તમ સ્ત્રીઓ હોય છે, તેથી પરીક્ષાપૂર્વક તેવી ઉત્તમ કન્યાઓ સાથે લગ્ન કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરવાથી વધુના રક્ષણનો ઉપાય કરનાર પુરુષને સુજાત અને અતિજાત જેવી સુતસંતતિ રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને તે સંતતિથી ગૃહસ્થ પિતાના જણથી મુક્ત થાય છે, તેમને સર્વ કાર્યમાં સહાય મળે છે, હંમેશાં મનને સ્વસ્થતા અને વિશ્રાંતિ મળે છે, સંપૂર્ણ આર્થિક વેપારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે, વખત આવે ઘરભરનું આરોપણ કરવાથી ઈરછા મુજબ પિતાની પુન્ય કાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને ચિત્તને વિષે ચિંતવેલા મને રથો પૂર્ણ કરવા વિગેરેથી મહિમા અને ઉન્નતિ થાય છે. શ્રી ઉદયનમંત્રીને વાગભટ્ટ અને આમદેવ વિગેરેથી જેમ આ લેખનું ફળ થયું હતું, તેમ સંતતિ પરલોકના ઉદય માટે પણ થાય છે. મધુમતી (મહુવા)ના રહીશ ભાવડ શ્રેષ્ઠીના પુત્ર જાવડ શ્રેષ્ઠીએ કલ્યાણની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પેતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરલોકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કોઈ પર્વને વિષે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy