SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ * . ર દરિા કુળવા. હવે ક્રમથી પ્રાપ્ત થએબા સૌમ્ય નામના બત્રીસમાં ગુણનું વર્ણન કરે છે – સૌમ્ય –મનહર આકૃતિવાળો હોય અથવા જેનું દર્શન પ્રિય હોય તે સૌમ્ય કહેવાય છે. અને તે ગૃહસ્થ ધામને ચોગ્ય હોઈ શકે છે. તેથી વિપરીત જે ક્રર આકૃતિવાળે મનુષ્ય હોય એટલે ભયજનક અને અદર્શનીય હોય તે પ્રાયે કરી લકને ઉદ્વેગનું કારણ થાય છે. અને તે વિશેષ ધમને એગ્ય થઈ શકતે નથી. ખરેખર સૌમ્યતા સર્વને પિતાના તરફ ખેંચનારી હોય છે. જેમકે – अपकारिण्यपि प्रायः सौम्याः स्युरुपकारिणः । मारकेभ्योऽपि कल्याणं रसराजा प्रयच्छति ॥१॥ શબ્દાર્થ-જેમ પાર પિતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ મનેહર આકૃતિવાળા અથવા તે સુકુમાર સવભાવવાળા પુરૂષે ઘણું કરી અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાવાળા હોય છે. અર્થાત્ આવા સ્વભાવવાળા પુરૂ દરેક મનુષ્યને પિતા તરફ ખેંચે એમાં કાંઈ નવાઈ નથી. છે ને ! અથવા સુખેથી આરાધના કરવા લાયક એટલે દુઃખેથી આરાધના કરી શકાય તેવા સ્વભાવને ત્યાગ કરનાર જે હોય તેને સૌમ્ય કહે છે. અને ખરેખર તેવા પુરૂષને સુખેથી અનુકૂળ કરી શકાય છે. આથી ઉલટી પ્રકૃતિવાળે દુરારાધ્ય પુરૂષ તે તીવ્ર સ્વભાવને લીધે પિતાના પરિવારને નારાજ કરનાર અનુક્રમે સહાય વગરને થાય છે. જ્યારે સુકુમાળ સ્વભાવવાળો સુખેથી આરાધી શકાય એવી પ્રકૃતિ હેવાને લીધે શત્રુપક્ષના લોકોથી પણ સેવાય છે. આ વિષયમાં રામચંદ્રજીનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. રામચંદ્રજી પિતાના કટ્ટા દુશ્મન રાવણના પક્ષકારે વિભીષણ, સુગ્રીવ, હનુમંત વિગેરેથી લેવાયા હતા, તેનું કારણ રામચંદ્રજીને સુકમાળ સ્વભાવ અને સરલ પ્રકૃતિ વિગેરે હતું. તે માટે કહ્યું છે કે चन्द्रः सुधामयत्वादुडुपतिरपि सेव्यते ग्रहग्रामैः । ग्रहगणपतिरपि भानुर्धाम्यत्येको दुरालोकः ।। २ ॥
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy