________________
૭૩
શ્રાદ્ધગુણવિવરણ હાનિ ન થાઓ.” એ વિચાર મનમાં રાખી “જયાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી હારે ભેજન કરવું નહીં” એવી પ્રતિજ્ઞા કરી કાઉસ્સગ ધયાને રહ્યા. પછી શાસનદેવની સહાયથી વેગવતીના શરીરમાં અતિતીવ્ર વેદના ઉત્પન્ન થઈ, અરતિ પ્રગટ થઈ અને તત્કાળ તેનું મુખ શૂન્ય થઈ ગયું. પછી તેને પશ્ચાત્તાપ થવાથી સાધુ પાસે જઈ સર્વ લેકની આગળ પોતાના આત્માની નિંદા કરતી બેલી કે, “મેં દ્વેષભાવથી સાધુને ખોટું કલંક ચડાવ્યું છે. એ પ્રમાણે કહી મુનિને ખમાવી તેમને પગે લાગી. પછી શાસનદેવે સજજ કરેલી વેગવતી ધર્મ - સાંભળી દીક્ષા અંગીકાર કરી તેને ચિરકાળ પાળી સૌધર્મ દેવલોકે દેવી થઈ. ત્યાંથી એવી જનકરાજાની પુત્રી સીતા નામે થઈ. પૂર્વભવમાં બેટું આળ આપ્યું હતું તેથી સીતા અહિં કલંકને પાત્ર થઈ. પછી કલંકથી મુક્ત થયેલા સાધુની પણ
કોએ પૂજા કરી અને જિનશાસનની પ્રભાવના થઈ. વળી જે બીજાના અવર્ણવાદ સાંભળે છે તે પણ પાપી ગણાય છે. કહ્યું છે. કે – "निवार्यतामालि ! किमप्ययं बटुः, पुनर्विवक्षुः स्फुरितोत्तराधरः। न केवलं यो महतां विभाषते, शृणोति यस्मादपि यः स पापभाक् ।। ३ ।।"
શબ્દાર્થ–હે સખી! ઉપરના સ્કુરાયમાન હેઠવાળા અને કાંઈ પણ બીજી વખત કહેવાની ઈચ્છાવાળા આ બટુકને નિવારણ કર, કારણ કે જે મહાન પુરુની નિંદા કરે છે તે એક જ પાપી ગણાય છે એમ નહીં પરંતુ જે નિંદા સાંભળે છે તે પણ પાપને ભાગી ગણાય છે. ૩
આ ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર મહાશય ઉપદેશદ્વારા આ ગુણને મેળવનાર ગૃહસ્થઘમને એગ્ય થાય છે એમ દર્શાવે છે.
" इत्थं सदा निन्द्यमवर्णवादं, त्यजन्परेषां श्रवणं च तस्य।
जगज्जनलाध्यतया गृहस्था, सद्धर्मयोग्यो भवतीह सम्यक् ॥ ४॥"
શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે નિરંતર નિંદવા યોગ્ય એ બીજાને અવગણવાદ અને તેનું શ્રવણ બનેને ત્યાગ કરતે ગૃહસ્થ જગતના લોકોને પ્રશંસા ની થશી આ લેકમાં સારી રીતે સદ્ધર્મને ચોગ્ય થાય. ૪