SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૨૫-૨૯] વક્રોક્તિજીવિત ૬૩ સ્વભાવને અનુરૂપ બીજા પદાર્થોના સાનિધ્યના પ્રભાવથી અભિવ્યક્ત થાય છે. જેમ કે, ચન્દ્રકાન્ત મણિમાંથી ચન્દ્રના કિરણના સ્પર્શ માત્રથી સ્વાભાવિક રીતે પાણી ઝમવા માંડે છે. આમ, માર્ગો ગણાવ્યા પછી અનુક્રમે તેમની વ્યાખ્યા આપે અલાન એટલે કે દોષરહિત પ્રતિભામાંથી અકુરની પેઠે સ્વયમેવ ફૂટી નીકળેલા, નવા શબ્દાર્થને લીધે સુંદર, પ્રયત્ન વગર રચાયેલા સ્વ૫ અને મનેહર અલંકારવાળે, જેમાં પદાર્થોને સ્વભાવ જ એવે પ્રધાન હેય કે યુત્પત્તિજન્ય આહાય કૌશલ તેની આગળ તિરકારપાત્ર – ગૌણ લાગે એવે, રસાદિના રહસ્યને સમજનાર સહૃદયોના માસવાદને લીધે સુંદર, ર૭ વિચાર કે પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ જેમાં પદાદિની યેજના એવી થઈ હોય કે તેના સૌદર્યથી રસિકના મનનું રંજન થાય એવે, વિધાતાના કૌશલથી સધાતા નિર્માણના અતિશય એટલે કે સુંદર સૃષ્ટિ જે, જેમાં જે કાંઈ વિચિત્ર હોય તે બધું પ્રતિભામાંથી પ્રગટેલું અને સૌમાર્ય-મંડિત હેય એવે, આ સુકુમાર માગ છે, જે માગે થઈને ખીલેલાં કુસુમોના વનમાં થઈને જેમ ભ્રમરે જાય તેમ સત્કવિઓ ગયા છે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy