SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૧૯] વક્રોક્તિજીવિત ૯ એવું જ થું ઉદાહરણ– “રમતિયાળ, ચંચળ અને ગર્વભરી આંખેવાળી લીલાવતી સુંદરીઓએ કાનમાં પહેરેલાં કમળની પાંદડીને સ્પર્શતી આંખો વડે રમતવાતમાં (ધનુષ ચડાવતાં) રેકી દેવાયેલે ઢીલા ધનુષવાળે કામદેવ જય પામે છે.” ૬૧ આ શ્લેકમાં લીલાવતી સુંદરીઓ વડે આંખના ઈશારાથી રમતવાતમાં રોકી દેવાયેલ અને તેની ધનુષ ચડાવવાની પ્રવૃત્તિથી વિમુખ કરાયેલે તથા જેણે પિતાનું ધનુષ ઢીલું કર્યું છે એ કામદેવ જય પામે છે (યતિ) એમ કેમ કહ્યું છે? કારણ એ સુંદરીઓને આ જય મળે છે એટલે તેઓ વિજય પામે છે (ત્તિ) એમ કહેવું જોઈએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે એ સ્ત્રીઓનાં નેત્રોના હાવભાવમાં જ આ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ અને પ્રૌઢતા છે એ જોઈને, ત્રિભુવન ઉપર વિજય મેળવવાનું મારું કામ તે એથી જ સિદ્ધ થઈ જાય છે એમ વિચારી, બુદ્ધિશાળી કામદેવે પિતાનું ધનુષ ચડાવવાનું બંધ રાખ્યું. (કામદેવને મળેલી) આ સહાયનું અતિશય મહત્તવ કવિના ચિત્તમાં નથતિ (વિજય પામે છે) એ ક્રિયાપદ દ્વારા કતૃત્વના કારણ તરીકે (એટલે કે વિજય પ્રાપ્તિના કારણ તરીકે) રુકુયું છે, એટલે સદના હૃદયને આનંદ આપનાર કેઈ અપૂર્વ ક્રિયાચિત્ર્યનો અનુભવ થાય છે. મતલબ કે અહીં કામદેવ જય પામે છે એમ કહ્યું છે છતાં તેનું કારણ એ સુંદરીઓની સહાય છે એમ બતાવ્યું છે એટલે એ સુંદરીઓ જ જય પામે છે એવું વ્યંજનાથી સુચિત થતું હોઈ અહીં અપૂર્વ ક્રિયાવિચિય સધાયું છે. એવું જ પાંચમું ઉદાહરણ તે વણે હૃદયમાં કંઈક અપૂર્વ ઇવનિત કરે છે.” ૬૨ ઉપર આવી ગયેલા ૫૧મા ઉદાહરણ આ પાછલે ભાગ છે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy