SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કર વક્રોક્તિ જીવિત [૧-૧૯ આ શ્લેકમાં (શિવવાચક બીજા અનેક નામે ઉપલભ્ય હોવા છતાં અહીં વપરાયેલું) “સ્મરરિપુ નામ કઈ જુદી જ વકતા પ્રગટ કરે છે. કારણ, કામદેવના શત્રુ શિવનું શરીર કાન્તા (પાર્વતી) સાથે ભળી જાય એ કદી સંભવિત જ નથી, એટલે ગણે એકદમ વિસ્મય પામે એ તર્કસંગત છે. એ ભળી જવું પણ વારંવાર જેવામાં આવતું હોય તે આશ્ચર્ય ન થાય, માટે અહીં “પહેલી જ વાર” એમ કહ્યું છે, તેમાં જ ચમત્કારને પ્રાણ છે. આ પર્યાયવકતા વાગ્યમાં અસંભવિત કઈ ધર્મને ગર્ભિત રાખવાથી પણ સધાય છે. જેમ કે – અંગરાજ, સેનાપતિ, રાજવલલભ (રાજાના વહાલા), આ દુશાસનને ભીમથી બચાવે.” ૪૫ અહીં કર્ણ માટે વાપરેલા આ ત્રણે પર્યાયે કર્ણ દુઃશાસનનું રક્ષણ કરવા સમર્થ નથી એવું સૂચવી એને બચાવ” એમ કહી તેને ઉપહાસ કરે છે. | (ગ) “ઉપચારવકતા' નામે પદપૂર્વાર્ધવતાને બીજો એક પ્રકાર છે. એમાં અમૂર્ત વસ્તુને મૂર્ત વસ્તુવાચક શબ્દથી ઉલ્લેખ કર્યો હોય છે. જેમ કે – વિના કારણે થયેલા અપમાનની કણી પણ સ્વમાની માણસેના મનને ખટક્યા કરે છે.” અથવા જેમ કે – હાથે ભેગે થાય એ યશ.” પહેલા દાખલામાં વપરાયેલ “ળવા’ શબ્દ મૂર્ત વસ્તુની અલ્પતા બતાવે છે, પણ અલ્પતાના સામાન્ય ગુણને આધારે તે અમૂર્ત અપમાનની અપતા દર્શાવવા વાપર્યો છે, તે સહુદને આનંદ આપનાર હાઈ વક્રતાને પિષે છે. બીજા દાખલામાં “દુસ્તાન(હાથે ભેગા થાય એ) શબ્દ મૂર્ત પુષ્પ વગેરે વસ્તુઓ માટે વપરાય છે, પણ ભેગા થવા
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy