SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧–૧૮-૧૯] વાક્તિજીવિત કર આમ, કાવ્યની વ્યાખ્યામાંના ‘સૌ’ શબ્દની સમજૂતી આપ્યા પછી કવિવ્યાપારની વક્રતા સમજાવે છે. ૧૮ કવિવ્યાપારની વક્રતાના ૭ પ્રકાર સભવે છે. અને તે દરેકના વિઋિત્તિ કહેતાં સૌદયથી શાભતા અનેક ભેદ છે. કવિનો કાવ્યરચનારૂપ વ્યાપાર એ જ કવિવ્યાપાર. તેની વક્રતા એટલે પ્રસિદ્ધ રચનાશૈલીથી જુદુ જ સૌંદર્યાં. તેના છ પ્રકારા સંભવે છે. એના અર્થ એ છે કે પેટા પ્રકાશ તે અનેક સભવે છે પણ મુખ્ય ભેદો આટલા જ સંભવે છે. હવે એ ભેદો ગણાવે છે— ૧૯ (૧) વણુ વિન્યાસવક્રતા, (૨) પદ્મપૂર્વાધ વક્રતા, અને વક્રતાના ત્રીજો પ્રકાર પણ છે તે (૩) પ્રત્યયવકતા. આમ, આ કારિકામાં ત્રણ વક્રતા ગણાવી છે, અને બાકીની ત્રણ હવે પછીની કારિકા ૨૦મી અને ૨૧મીમાં ગણાવશે. (૧) વર્ણના વિન્યાસ એટલે કે ગાડવણી તે વર્ણવિન્યાસ. વર્ણાને, અક્ષરાને વિશેષ રીતે ગાઠવવા તે. તેની વક્રતા એટલે પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદી સૌંદર્ય મય શૈલીએ કરેલી રચના. વિશેષ પ્રકારની (વર્ણીની) ગાઠવણીથી ઉત્પન્ન થતું, સહૃદયાને આન ંદ આપે એવું શબ્દસૌદર્ય તે વર્ણવિન્યાસવક્રતા જેમ કે— “પહેલાં લાલ રંગના, ત્યાર પછી સેાનાના જેવી કાન્તિવાળા, પછી વિરડુથી પીડાતી સુંદરીના કપાલના જેવી કાન્તિવાળેા અને ત્યાર પછી રાત્રિના પ્રારલે અંધકારના નાશ કરવાને સમર્થ અને તાજા મૃણાલના કંદના ટુકડા જેવી કાન્તિવાળા ચંદ્ર ઉપર ચડે છે.” ૪૧ આ àાકમાં વર્ણવિન્યાસની વક્રતાને લીધે ઉત્પન્ન થતું
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy