SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વક્રાક્તિવિત [૧-૮ ક્રિયાક્રમ. તેના વડે જે શાલતા હાય એવા બંધ, એટલે કે રચના. જેમાં પ્રસિદ્ધ ઉપયાગથી જુદો જ ઉપયાગ શબ્દ અને અર્થને થયેા હાય એવી રચના તા કકલ્પનાવાળી પણ હાઈ શકે છે,. એટલે તેનું નિવારણ કરવા કહ્યું છે કે એ બંધ તદ્વિદાલાદકારી હાવા જોઇએ. તદ્વિદ એટલે કાવ્યમર્મજ્ઞ. તેમને આહ્લાદ આપે એવા બંધમાં શબ્દાર્થ પ્રયેાજાયેલા હેાવા જોઈએ. અહીં વક્રતા, વકતાના પ્રકારો તેમ જ તદ્વિદાલાદકારિત્વની ઉદાહરણ સાથે સમજૂતી આપેલી નથી, તે પાછળથી યથાવસર આપવામાં આવશે. આમ, કાવ્યની સામાન્ય વ્યાખ્યા ખાંધ્યા પછી હવે વિશેષ વ્યાખ્યા આપવાની શરૂઆત કરવા પહેલાં શખ્સ અને અંનું સ્વરૂપ સમજાવે છે. . વાચ્ય તે અથ અને વાચક તે શબ્દ એ તા જાણીતું છે, તેમ છતાં આ કાવ્યમાગ માં એમના સાચા અર્થ આ પ્રમાણે છે. એ વાત તેા જાણીતી છે કે જે વાચક હાય છે તે શબ્દ હાય છે અને જે વાચ્ય કે અભિધેય હાય છે તે અથ હાય છે. અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે દ્યોતક અને વ્યંજક પણ શબ્દ હોય છે, તેનું શું ? તા કહે છે કે તે બંનેના પણ ઉપચારથી વાચકમાં જ સમાવેશ થઇ જાય છે, કારણ, અપ્રતીતિ કરાવવી એ ત્રણેના સામાન્ય ધર્મ છે. એ જ રીતે, વાચ્યમાં ઉપચારથી ઘોત્ય અને વ્યંગ્યને પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે પ્રતીત થવું એ એમના સામાન્ય ધર્મ છે, આમ, અર્થ એ વાચ્ય છે અને શબ્દ એ વાચક છે, એ તે લેાકેામાં જાણીતી વાત છે, તેમ છતાં આ અલૌકિક કાવ્યના કહેતાં સાહિત્યના ક્ષેત્રમાં એ બંનેના સાચા અર્થ જુદો જ છે અને તે હવે કહેવામાં આવશે. કેવા ? તા કે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy