SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 1-9] વાક્તિજીવિત ૧૩ અહીં કોઈ એવા પ્રશ્ન કરે કે (જો તમે અલકાર વગરના વસ્તુમાત્રને કાવ્ય જ ન કહેતા હૈ। તેા અપ્રસ્તુતપ્રશંસા વગેરે જેવાં કેટલાંક સ્થળે) અલ કાર વગરનું વસ્તુમાત્ર સદાને આનંદ આપનાર શી રીતે થઈ શકે છે ? તે એને જવાબ એ છે કે એ શકા ખરાખર નથી, કારણ, એવે સ્થળે ઉક્તિ બીજા જ પદાર્થને લક્ષ્ય કરતી હાઈ કવિના ચિત્તમાં અપ્રસ્તુતપ્રશ'સારૂપે અલંકાર સ્ફુરેલા જ હોય છે. અહીં કહેવાતા અથ એ છે કે અપ્રસ્તુતપ્રશંસા વગેરેમાં કવિ જે પટ્ટાનું વર્ણન કરતા હાય છે ત તને અભિપ્રેત નથી હતા. બલકે એ પદાર્થના વર્ણન દ્વારા વ્યંજનાથી તે બીજા જ પદાર્થનું વર્ણન કરતા હાય છે અને એમાં જ તેની વિદગ્ધતા પ્રગટ થાય છે અને તે સહૃદયાને આનંદ આપનાર થઈ પડે છે. જો કવિ એ વ્યંજનાલભ્ય વસ્તુ વાચ્યરૂપે રજૂ કરે તા તેમાં કશા ચમકાર આવતા નથી. એના અથ એ થયા કે એવે સ્થળે કવિના ચિત્તમાં પહેલેથી જ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર સ્ફુરેલે હાય છે અને એ વાકય અલંકારશૂન્ય હેાતું નથી એટલે સહયાને આનંદ આપે છે. જયારે કોઈ વસ્તુ કવિની પ્રતિભામાં પહેલવહેલું સ્ફુરે છે ત્યારે તે ઘડયા વગરના પથ્થરના ટુકડા જેવા લાગતા હીરા જેવું હાય છે, તે જ્યારે વિદગ્ધ કવિની રચેલી વક્રતાયુક્ત વાણીમાં મુકાય છે ત્યારે સરાણ પર પહેલ પાડેલા હીરાના જેવી માહુરતા ધારણ કરી સહૃદયાના હૃદયને આનંદ આપનાર કાવ્યત્વને પામે છે. એથી જ એક વિષયનું નિરૂપણ કરતાં સાવધ અને અસાવધ એ કવિનાં વાકયો વચ્ચે આસમાનજમીનનું અંતર હાય છે. જેમ કે— “માનિનીઓનાં ઊનાં આંસુએથી મલિન કટાક્ષપાતાને સ્વીકારતા ઊગેલા ચંદ્ર, અતિશય ખી ગયા હાય એમ ધીરે ધીરે આકાશમાં આગળ વધ્યા.” ૧૩ (આ લેાક ભારવિના કિરાતાર્જુનીય કાવ્યમાં (૩–૨૬) આવે છે.) પ્રિયના વિરહાનલથી સળગી ઊઠેલા લેાચનાવાળી
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy