SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–૧૮-૧૯] વાક્તિજીવિત ૩૫૧ અતાવવામાં આવ્યા હોય એવા પ્રબંધ ભાવકને આનંદ આપનાર થઈ પડે છે.” ૪૯ આ અંતરશ્લેાક છે. રામાયણ અને મહાભારતના પ્રધાન રસ કરુણ છે એવું (આનંદવર્ધન વગેરે) પૂર્વસૂરિઓએ જ પ્રતિપાદિત કરેલુ છે. (૨) પ્રબંધવક્રતાના બીજો એક પ્રકાર પણ બતાવે છે— ૧૮ સારા કવિ ત્રણેલાકમાં અાખા એવા નાયકના ઉત્કર્ષ ને પામે એવા ઇતિહાસના એક ભાગથી જ પ્રેમ ધનુ' સમાપન કરે, ૧૯ અને તેના ઉદ્દેશ એ પછી આવતી કથાને લીધે ઉત્પન્ન થતી વિરસતાને ટાળવાના હોય, ત્યારે એ પણ પ્રમ ધની રમણીય ભાગિયુક્ત વક્રતા કહેવાય. તે પણ પ્રબંધની રમણીય ભ`ગિયુક્ત વકતા કહેવાય, જેમાં ઔચિત્ય સાચવવામાં ચતુર કવિ પ્રબંધનું સસ્થાપન કહેતાં ઉપસંહાર કરે. કેવી રીતે? તેા કે ઇતિહાસના એક ભાગથી. ભાગ કેવા ? તે કે જગતમાં અસાધારણ નેતા હોય તેના ઉત્કર્ષને પ્રગટ કરનારા. શા માટે ? તેા કે તેના પછી આવતી કથામાં જે વિરસતા હાય, અનાક કતા હાય તેને ટાળવા માટે. એના અર્થ એ કે કોઈ મહાકવિ ઇતિહાસમાંની કાઈ આવી • કથાના આર`ભ કરવા છતાં જગતને આશ્ચય પમાડે એવા નાયકના અનુપમ યશને પ્રગટ કરતા કોઈ એક ભાગથી જ, કથાને આગળ લઈ જવાથી થનાર વિરસતાને ટાળવા, ઉપસંહાર કરી દે તે તે પ્રમ'ધના સૌ માં વધારો કરનાર વતા દાખલ કરે છે. જેમ કે ‘કિરાતાર્જુનીય'માં કવિના હેતુ દુર્યોધનના મૃત્યુ અને યુધિષ્ઠિરના અભ્યુદયમાં પરિણમતી મહાભારતની આખી કથા કહેવાના છે, તે કાવ્યની શરૂઆતમાં જ કહેવામાં આવ્યુ છે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy