SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ વક્તિજીવિત ૬ ત્યારે તે કઈ અસામાન્ય નિરૂપણશક્તિ ધરાવતી પ્રતિભાવાળા કવિની કૃતિમાં નવા જ પ્રકારની વક્રતાનું રહસ્ય પ્રગટ કરે છે. [૪-૬ નવી જ વક્રતાનું રહસ્ય પ્રગટ કરે છે. શામાં ? તે કે અધા નહિ પણ પ્રસ્તુત વ વસ્તુના ઔચિત્યને લીધે સુંદર એવી રચના કરવામાં વિચક્ષણ કવિની કૃતિમાં. કાણુ પ્રગટ કરે છે ? તા કે અનુગ્રાહ્ય અનુગ્રાહક એટલે કે અગાંગિભાવની વિશેષતા. કેવી રીતે ? તા કે સ્ફુરિત થઈને, પ્રગટ થઈને. એ *ગાંગિભાવ કેવા ? તે કે પ્રધાન કાર્ય સાથે અનુસંધાન જાળવવામાં નિપુણુ. કોની કૃતિમાં ? તેા કે અસામાન્ય નિરૂપણ કરનારી પ્રતિભા ધરાવતા કવિની કૃતિમાં. એ નવી વક્રતા કોની ? તા કે પ્રબંધનાં પ્રકરણાની. અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ એના અર્થ એ કે પ્રત્યેક પ્રકરણ પાતે જ્યાં ગોઠવાયું હાય છે ત્યાં શાલતું હોય છે, તેમ છતાં એ પ્રકરણાના પ્રધાન કાર્ય સાથેના અનુસંધાનને કારણે સધાતે સ્વભાવથી જ સુદર એવી પ્રતિભાથી પ્રકાશતા કાઈ વિચક્ષણ અને વક્રતાના ચમત્કાર પેદા કરનાર કવિની કૃતિમાં અલૌકિક વક્રતાનું લાવણ્ય પ્રગટ કરે છે. જેમ કે ‘પુષ્પષિત’ના ખીજા. અંકમાં— પ્રવાસમાંથી પાછા ફરેલા સમુદ્રદત્ત પેાતાની પત્ની પ્રત્યેના ગાઢ અનુરાગને લીધે તે જ દિવસે અધારી રાતે પ્રબળ કામાવેગથી પેાતાની પત્ની નંયતીનેા સમાગમ સાધવા ચારની જતા હતા. એવામાં તેનું આગળ સૂતેલા દ્વારપાળ કુવલય. જેમ ઘરમાં પ્રવેશવા જોસભેર ધસી ઉત્તેજનાથી ધ્રૂજતું શરીર ખારણા ઉપર પડતાં તેની ઊધમાં ભંગ પડે છે અને તે ઝઘડો કરે છે, એટલે પેાતાના હાથ ઉપરથી કાઢીને વીંટી તેને લાંચમાં આપે છે. ચોથા અંકમાં મથુરાથી પાછા ફરેલા તે દ્વારપાળ નંદયંતીના સસરા
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy