SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ વાક્તિજીવિત [૪-૩-૪ જાય એવું એનું ઊભરાતું સૌંદર્ય જોઈને અને તેની સ્મૃતિ તાજી કરવા માટે વનવિહાર વગેરે અંગત પ્રસંગાનું વર્ણન કરતી વીણાના ઝંકાર જેવી તેની મધુર વાણી સાંભળીને પ્રભાવિત થયા હાવા છતાં દુષ્કૃત ભરતમાતા શકું તલાને પાછી કાઢવાની કઠોરતા આચરે છે. એ કઠોરતા પણ શાપની અવધિ પૂરી થયા પછીના તેના પશ્ચાત્તાપને લીધે સહ્ય બને છે, કેમ કે એમાં પરસ્પરના અનર્ગલ પ્રેમ પ્રગટ થાય છે, અને તે સહૃદયને આહ્લાદ આપનાર થઈ પડે છે. શાપના અંતનું વર્ણન કરવા પહેલાં કવિએ જૂની વાતાનું સ્મરણ તાજું થવાને લીધે અસહ્ય વિવેદના અનુભવતા રાજાની મનેાદશાનું વર્ણન કર્યું છે, અને તેની સાથેસાથ જ વીટી પાછી મળી આવે છે, એ સહૃદયાને અત્યંત આનંદ આપે છે. રાજાના કંચુકી કહે છે—— ત્યાગ્યાં મંડન ખાસ સૌ, કનકનું ડાબે પ્રકાષ્ઠ કડુ ધાયુ એક જ, ને થયા અધર છે ફીકા નિસાસા થકી, ચિંતા જાગરણે સુરક્ત નયના, લાગે સ્વતંજોગુણુ ના તે ક્ષીણુ પરંતુ કે મણિ મહા જાણે સરાણે ઘસ્યા.” (અ. શા. ૬-૬, અનુ. ઉમાશ’કર જોશી) ૧૦ સાંખે રમ્ય નહીં, ન નિત્ય સચિવે સેવાય પૂર્વે યથા, ગાળે રાત્રિ ઉજાગરે જ પડમાં શય્યાતટે ફેરવી, દાક્ષિણ્યે કરી ચેાગ્ય ઉત્તર કી દે દેવીઓને નહી નામામાં કરી ભૂલ, વિવળ રહે કે કાળ લજજા થકી.” (અ. શા. ૬-પ, અનુ. ઉમાશંકર જોશી) ૧૧ આમાં રાજાનાં વિશેષણાની વક્રતા, અને ત્રેવુ (નામેામાં)માંની વચનવકતા અપૂર્વ ચમત્કારકારી લાગે છે. રાજા પોતે દોરેલા પ્રિયાના ચિત્રને જોઇને પ્રિયાની મુદ્રાથી અંકિત સ્મરણાત્મક વચને એલે છે તે પણ એના હૃદયમાંથી આવતાં હાય છે—
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy