SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૧૪ વાક્તિજીવિત [૪–૧–૨ તેમની સતત ચાલુ રહેતી આવી પ્રવૃત્તિએથી એ પ્રકરણની તેમ જ એકંદરે આખા પ્રબંધની ચમત્કારકતામાં અને તેની ચારુતામાં વધારે થાય છે. જેમ કે ‘અભિજ્ઞાનજાનકી' નામના નાટકમાં ત્રીજા અંકમાં વાનરવીરા સમુદ્રને જોતાં જ, પેાતાની આવડત અને મળને પિછાન્યા વગર જ અને સીતાપતિ રામનાં દિવ્યાસ્ત્રોના પ્રભાવને જાણ્યા વગર જ, સેતુ બાંધવા મંડી પડે છે, તે વખતે સેનાપતિ નીલ કહે છે ચારે કોર હજારા પર્વતા પડયા છે, જે તમારે મન તેા કીડીના રાફડા જેવા છે, તમારી પ્રચંડ ભુજાએ ભારે પરાક્રમ કરવાને સળવળી રહી છે, તમે સાગરને એક ચાંગળામાં પી જનાર અગસ્ત્ય મુનિની વાત તે સાંભળી છે. તા પછી ગાયની ખરી જેટલા ખામડા જેવા આ સાગરને પૂરી દેવા એની શી વિસાત? આ વાનરી, તમને ઉત્સાહ નથી ચડતા ?’૧ નેપથ્યમાં કાલાહલ પછી વાનરાના ઉત્તર સ'ભળાય છે— વાનરામાંના કેટલાક તે આનંદ અને ઉત્સાહ પૂર્વક પર્વતાને દડાની જેમ ઉછાળી રહ્યા છે, લાપામુદ્રાના પતિ અગસ્ત્યની વાત પણ અમે જાણીએ છીએ પણ પવનસુત હનુમાનના ઉચ્છિષ્ટને અડતાં અમને શરમ આવે છે.” ર આ શ્લાકમાં ‘ઝુનુમાનનું ઉચ્છિષ્ટ' એ પ્રયાગમાં પર્યાયવક્રતા જોવા મળે છે. રામે જ્યારે એમ કહ્યુ... કે હું આ, આ વાનરા માટે સાગરને ખાંધવા એ મુશ્કેલ કામ છે’ ત્યારે જામવાને આપેલા ઉત્તર પણ એટલે જ સુદર છે— નિઃસીમ મનારથ પણ જેને આંખી ન શકે એવાં કાર્યો મહાપુરુષો આરંભે છે અને તેમાં વિજય પણ પામે છે.” ૩ આવાં અભિનવ આસ્વાદને લીધે સુંદર બીજા... સુભાષિતા પણ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy