SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 1-] વાક્તિજીવિત ૯ શબ્દરૂપ અને વાચ્ય કરવામાં આવે છે. સ્વરૂપ-નિરૂપણ કરએટલે કે અલગ સમાવેશ થાય છે અલ'કૃતિ એટલે અલ'કાર એવા અથ થાય. તેનું વિવેચન એટલે કે વિચાર કરવામાં આવે છે. અને વાચક અરૂપ જે અલકા છે, તેના પણ વિચાર એ બંનેનું સામાન્ય અને વિશેષ લક્ષણ દ્વારા વામાં આવે છે. કેવી રીતે? તે કે અપહૃત્ય પાડીને, જે સમુદાયરૂપ કાવ્યમાં એ બંનેને તેનાથી જુદા પાડીને. શા માટે? તે કે કાવ્યને સમજવાના એ ઉપાય છે માટે. એટલે કે કાવ્યની સમજણ માટે આવા વિવેક કરવામાં આવે છે. શબ્દ, અર્થ અને અલંકાર એ ત્રણે મળીને જ કાવ્ય નામે એક અખંડ પદાર્થ અને છે; એમાં પછી આ ત્રણેનું અલગ અસ્તિત્વ રહેતું નથી. તેમ છતાં કાવ્યનું સ્વરૂપ ખરાખર સમજવા માટે એ અલકા શબ્દ અને અર્થ તેમ જ તેમના અલકારને જુદા પાડીને, તેમના સામાન્ય અને વિશેષ લક્ષણ દ્વારા અહીં વિવેચન કરવામાં આવે છે. આવી પદ્ધતિ જ છે. વાકયમાંનાં પટ્ટાનું અથવા પદ્મમાંનાં પ્રકૃતિ અને પ્રત્યયાનું અલગ અસ્તિત્વ ન હોવા છતાં વ્યુત્પત્તિ કહેતાં સાચી સમજ માટે તેમને અલગ પાડીને તેમનું વિવેચન કરવામાં આવે છે, તેવું જ આ પણ છે. જો સાચેસાચ એમનું અલગ અસ્તિત્વ ન હોય અને માત્ર સમજણુ ખાતર જ એમનું અલગ પાડીને વિવેચન કરવામાં આવતું હાય તા, સાચી વાત શી છે? સાચી વાત એ છે કે સાલ કાર હાય તે જ કાવ્ય કહેવાય. અલંકારસહિતનું જે આખું અવયવ વગરનું વચન તે જ કવિકર્મ અથવા કાવ્ય કહેવાય. એટલે અલકારવાળું હોય તે જ કાવ્ય એમ થયું. કાવ્ય જુઠ્ઠું અને તેને અલંકાર ચડાવવામાં આવે છે તે જુદા એમ નહિ. સાલ'કાર હાય તે કાવ્ય એવું મેઘમ કાવ્યસ્વરૂપનું વર્ણન કર્યું પણ તેના સ્પષ્ટ નિર્ણય કર્યો નથી માટે કેવી વસ્તુ કાવ્ય કહેવાય એ જણાવવા માટે કહે છે કે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy