SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૫૯] વકૅક્તિજીવિત ૩૦૫ અથવા જેમ કે – ભ્રષ્ટ પ્રાકૃતગાથા. ૨૦૭ અથવા જેમ કે– જેમાં વિધિનાં સજેલાં સૌંદર્યરૂપી મહામૂલાં રત્ન સંઘર્યા છે એવા જગતરૂપી ભંડારનું આ એકમાત્ર રન છે, કે શૃંગારસરોવરનું સૌદર્યની પરાકાષ્ટારૂપ કમળ છે, કે લાવણ્યના સાગરમાંથી પ્રગટતું અવનવું ચંદ્રબિંબ છે; હે પ્રિયે, તારું સુંદર મુખ શાને મળતું આવે છે એ હું નક્કી નથી કરી શકતે.” ૨૦૮ સસંદેડ ઉપ્રેક્ષામૂલક અલંકાર છે એટલે એને એક જ પ્રકાર છે (અનેક પ્રકાર નથી). આ રીતે, સ્વરૂપને વિશે સંદેહને લીધે સુંદર લાગતા સસંદેહ અલંકારનું નિરૂપણ કર્યા પછી, સ્વરૂપના અપહુનવરૂપ કહેતાં છુપાવવારૂપ હોઈ સુંદર લાગતા અનુતિ અલંકારનું નિરૂપણ કરે છે. પલ જેમાં વર્ણનીય વસ્તુને બીજું રૂપ આપવા માટે તેના પિતાના રૂપને છુપાવવામાં આવે તેને અપતુતિ અલંકાર કહે છે. આ પહેલાંના સસંદેહ અલંકારની પેઠે આ અલંકાર પણ ઉન્મેલામૂલક છે. સંભાવના આધારિત અનુમાનને આધારે અને બે સાદને સંબંધ જોડીને વર્ણનીય વસ્તુને એટલે કે પ્રસ્તુત અર્થને બીજુ એટલે કે કોઈ અપૂર્વ રૂપ આપવા માટે તેને પિતાના સ્વરૂપને ઢાંકી દેવામાં આવે એવી ભણિતિભગિને અપહતુતિ અલંકાર કહે છે. જેમ કે – આખા જગતના નેત્રરૂપ અને તેજસ્વી પદાર્થોમાં શ્રેષ્ઠ એ આ સૂર્ય છે, પણ પ્રિયાના મુખના જેવા સૌંદર્યને ૨૦
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy