SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૬ વક્રોક્તિજીવિત [૩-૪૬, ૪૭ આખા વાકયની શક્તિથી પ્રતીત થતું હોય છે ત્યારે શ્લેષાલંકાર પ્રતીયમાન હોય છે. પણ જ્યારે ઈવાદિ વાચકે વપરાયા હોય છે ત્યારે તે વાય હેય છે. પ્રસ્તુત અને અસ્તુત વસ્તુઓમાં એક પ્રધાન અને બીજી ગૌણ હોય ત્યારે પણ બંનેને બે એક ક્ષણ શબ્દથી થતે હોઈ બંને વચ્ચેનું સામ્ય છે એવું જ રહે છે. બેમાંથી જે એકનું પ્રધાનપણે વર્ણન કર્યું હોય તે ઉપમાન હોય તે -સમુશ્ચિતપમાને અંગે જે કહ્યું હતું તે જ લાગુ પાડવું (અને - બીજાને ઉપમેય ગણવું). આ અલકારમાં એક જ શબ્દ બે અર્થોને બંધ કરાવતા હોય છે. એ શબ્દ અને તેના એક જ લાગતા બે અર્થો વચ્ચે સામ્ય કવિકેશલનું મુખ્ય તવ છે. ४७ સમાન અવાજ(શબ્દ)વાળા શબ્દોની સ્મૃતિથી પહેલાં એક અને પછી બીજો અર્થ સમજાય છે. શબ્દ તે ઉચ્ચારાતાંવેત નાશ પામે છે એટલે જ અમૃતિ એ જ અથને બેાધ કરાવનાર હોય છે. પહેલા પ્રકારનું એટલે કે અર્થશ્લેષનું ઉદાહરણ-- “પિતાને અભિપ્રાય પ્રગટ કરવામાં કુશળ, માધુર્યની મુદ્રાથી અંક્તિ, સૌંદર્યને લીધે અભિમતેના હૃદયમાં અપૂર્વ ભાવે જગાડનાર અને રસભાવની પરાકોટિએ પહોંચેલી કવિઓની વેદધ્યવક વાણી અને કાન્તાના કટાક્ષ વિજય પામે છે.” ૧૭૭ બીજા પ્રકારનું એટલે કે શબ્દશ્લેષનું ઉદાહરણ આ લેકમાં વપરાયેલાં લિષ્ટ વિશેષણને કારણે શબ્દશક્તિથી બે અર્થે થાય છે. (૧) વિષ્ણુને લગત અને (૨) મહાદેવને લગત. વિષ્ણુને લગતે અર્થ–
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy