SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૪, ૧૫, ૧૬] વોક્તિજીવિત ૨૨૫ છે? તે કે રસ જે, અર્થાત્ શૃંગારાદિ રસ જે. બ્રાહ્મણની જેમ વર્તત ક્ષત્રિય પણ બ્રાહ્મણ જે–બ્રાહ્મણવત્ –કહેવાય છે, તેમ રસના જે અલંકાર પણ રસ જે – રસવત્ કહેવાય છે. શાથી? તે કે તે કાવ્યને રસમય બનાવે છે માટે કેવી રીતે ? તે કે કાવ્યને સહદને આનંદ આપે એવું બનાવીને. જેમ રસ કાવ્યને રસમય અને તદ્વિદોને આહ્લાદ આપે એવું બનાવે છે તેમ ઉપમાદિ અલંકારો પણ એ બંને કાર્યો કરતા હોય ત્યારે રસવદલંકાર બને છે. જેમ કે – - “રાગયુક્ત શશીએ ચંચલતારકિત નિશામુખને એવી રીતે પકડયું (ચૂમ્ય) કે રાગને લીધે પહેલેથી જ આખું તિમિરાંશુક ખસી પડ્યું તેની ખબર ન પડી.” (ધ્વન્યાલેક, ૧-૧૪; “અભિનવને ધ્વનિવિચાર', પૃ. ૨૬, ૬૫ આ લેકમાં પિતાના અવસરને સુંદર સ્વરૂપવાળાં ચન્દ્ર અને રાત્રિનું વર્ણન એ પ્રધાન વાક્યર્થ છે. તેની શેભામાં વધારે કરનાર તરીકે કવિએ (ચન્દ્રમાં) નાયકના વ્યવહારનું આરેપણ કરીને રૂપકાલંકાર લે છે. એ અલંકાર પણ લેષની છાયાને લીધે તથા (ચન્દ્રનું પુંલિંગ અને રાત્રિનું સ્ત્રીલિંગ એમ) વિશિષ્ટ લિંગને જેરે વિશેષણવતાવાળે બન્યું છે. આમ, એ અલંકાર કાવ્યની સરસતાને ખીલવીને અને સહદને આનંદ આપીને પોતે જ રસવલિંકાર બની ગયા છે. પ્રેમિકા અને પ્રેમનું નામ લીધા વગર પણ રૂપક તેમને બેધ શી રીતે કરાવી શકે છે, તે અમે એકદેશવિવર્તિ રૂપકની ચર્ચા વખતે વિગતે બતાવીશું. અહીં પહેલાં કહેલા વાંધા (સંસૃષ્ટિ. સંકર અલંકાર માનવા પડે વગેરે) લાગુ પડી શકે એમ નથી. તેમ બીજે પણ જોવામાં આવતું હોવો જોઈએ એ વાંધો પણ, રૂપકા લંકાર બીજે પણ વપરાયેલે જોવામાં આવતું હોઈ આ ઉદાહરણને ૧૫
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy