SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૧૩] વક્રોક્તિજીવિત ૨૧૧ ઊજસ્વી અને ઉદાત્ત નામના એ અલ કારાના આલ કારિકાએ એ જ ક્રમમાં ઉલ્લેખ કરેલા છે, પણ એ અલ કારો નથી. શાથી ? તા કે રસવનું ખ'ડન કરતાં આ પહેલાં જે દલીલ કરી છે તે એ એને પણ લાગુ પડે છે. એટલે રસવતની પેઠે એ એ પણુ અલકાર નથી. જોકે પ્રાચીન આલ કારિકાએ એમની વ્યાખ્યા અને ઉદાહરણા આપીને એમને અલકાર કહ્યા છે, પણ તે તર્કસંગત નથી, એટલે સ્વીકારી શકાય એમ નથી. જેમ કે કેટલાક આલ'કારિકાએ આમાંના પહેલા એટલે કે ઊર્જસ્વીની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપેલાં છે “કામ, ક્રોધ વગેરે કારણેાને લીધે અનૌચિત્યથી પ્રવૃત્ત થયેલા ભાવા અને રસાનું નિરૂપણ ઊસ્વી કહેવાય.” “તેના કામ એટલા તે વધી ગયા કે તેણે સજ્જનના માગ છેડી ઈ બળાત્કારે પાર્વતીના સમાગમ કરવાના પ્રયત્ન કર્યો.” (ઉદ્ભટ, ૪-૫, ૬) ૪૯, ૫૦ કેટલાક આલ કારિકાએ ઉદાહરણને જ વ્યાખ્યા માની લઇને તે જ ઉતાર્યુ છે. જેમ કે -- - ઊજસ્વી, જેમ કે સર્પાસ્ર પાછું આવતાં તેને ફરી અર્જુન ઉપર છેડવાની વિનતી કરતાં કશે, તેને બાજુએ રાખી, કહ્યું કે હે શલ્ય, કર્ણે કદી એ વાર ખાણુ ચડાવે છે ?” (ભામહ, ૩–૭) ૫૧ અથવા “હું તને મારીશ એવી મનમાં ખીક રાખીશ નહિ. મારી તલવાર ભાગતાને મારવા કટ્ઠી રાજી નથી હાતી.” (દંડી, ૨–૨૯૩) પર આમાંની પહેલી વ્યાખ્યા અને ઉદાહરણની ખાખતમાં, પહેલું તા એ વિચારવાનું કે જેનાથી પ્રવૃત્ત થયેલા રસાદિનું નિરૂપણ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy