SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૧ વક્રોક્તિજીવિત ૨૦૯ નથી કારણ કે એ બે વચ્ચે પ્રાધાન્ય વિશે સ્પર્ધા નથી તેથી એ બંને વિરોધી રસની પ્રતીતિ પણ તદ્વિદોને આહૂલાદ આપનારી થઈ પડે છે. કેમ કે અહીં કેવળ કરણ (કે વિપ્રલંભ) રસ જ છે એ નિર્ણય કરવા માટે કોઈ પ્રમાણ નથી. અને પ્રવાસવિપ્રલંભના કારણરૂપ આલંબન વિભાવાદિ સામગ્રી સ્વપ્ન વખતે શબ્દમાં મુકાયેલી છે, અને સ્વપ્ન ઊડી જતાં જ મૂળને કરુણ રસ પાછો હાજર થઈ જાય છે, એમ માનીને તે બંને રસની પ્રતીતિ તર્કસંગત છે એમ કહેવાય. હવે અહીં કેઈ એ પ્રશ્ન ઉઠાવે કે એ પ્રવાસ-વિપ્રલંભ શરૂઆતમાં ઉત્પન્ન થાય જ શી રીતે, એ તે કહે. તે કહેવાનું કે આ વધે બરાબર નથી. કારણ, અહી જેની પ્રશંસા કરવામાં આવી છે તે મહાપુરુષના પ્રતાપની વાતેથી ચકિત થઈ ગયેલા તેના દુશ્મને અને તેમની સ્ત્રીઓ ફાવે તેમ નાસભાગ કરે અને જુદાં પડી જાય, એ તર્કની દૃષ્ટિથી અસંગત નથી. અહીં સુધી કુંતકે આનંદવર્ધનાચાર્યને પક્ષ માંડયો છે. આનંદવર્ધનને પક્ષ એવો છે કે એ લેકમાં રાજાની સ્તુતિ પ્રધાન છે અને શત્રની સ્ત્રીઓને કરુણ અને વિપ્રલંભ એ બંને તેને ઉપકારક હેઈ ગૌણ છે, એટલે અહીં અલંકાર ગણાય. કુંતકને આ માન્ય નથી. એ એમ માને છે કે અહીં એક કરુણ રસ જ છે. અને હવે એ મતનું પ્રતિપાદન કરે છે. અહીં કરુણ રસ જ છે એવું નિશ્ચિતપણે માની લઈએ એટલે એના પરિપષની પરાકાષ્ઠાએ પહોંચવાથી એકાગ્રતાને લીધે જડ બની ગયેલા ચિત્તવાળી શત્રુની સ્ત્રીઓ, પિતે જેનાથી ટેવાયેલી છે તે વાસનાઓમાં જ ડૂબેલી રહે છે, અને લાંબા સમય પછી સ્વપ્નમાં પ્રિયજનને સમાગમ પ્રાપ્ત થતાં, પિતે પહેલાં અનુભવેલા વ્યવહાર પ્રમાણે પતિ સાથે વાર્તાલાપ શરૂ કરે છે અને એકાએક ૧૪
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy