SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૧૧] વાક્તિજીવિત ૧૯૯ તેમ થઈ શકે એમ નથી. કારણ, રસવાળા કાવ્યના અલકાર તે રસવત્ અલકાર એવું એનું સ્વરૂપલક્ષણ છે, એટલે કાવ્ય રસવાળું હાય તા જ એ રસવત્ અલ‘કાર કહેવાય. આમ, એના સ્વરૂપને આધાર કાવ્ય રસવાળું હોય એના ઉપર છે, અને કાવ્યના રસવાળા થયાના આધાર એ અલ'કાર ઉપર છે. એ અલંકાર લાગે તા જ કાવ્ય રસવાળું થાય. આમ, એમાં ઇતરેતરાશ્રયના દોષ આવે છે, એનું નિવારણુ કાણુ કરી શકે? (૭) અથવા જેમાં રસ છે તે રસવત્ (કાવ્ય), અને તેની સાથે જોડાયેલ જે અલ'કાર તે રસવત્ અલંકાર, એમ કહેા તાપણ એમાંથી કાવ્ય અને અલકાર એ એ સિવાય કેાઈ ત્રીજા તત્ત્વનું દર્શન થતું નથી અને એ બંને પક્ષાનું ખંડન કરી ચૂકયા છીએ (કે રસવાન અલંકાર હાય તેા ખીજું કશુંક અલકા હાવું જોઇએ અને જો અલ કાય` હોય તે અલગ અલ કાર હાવા જોઇએ.) અને એનાં ઉદાહરણા પણ લક્ષણ કહેતાં વ્યાખ્યા જેવાં જ નકામાં હાવાથી એની જુદી ચર્ચા કરતા નથી. જેમ કે~~ “મરી ગઇ છે એમ માની જેને ફ્રી મળવા માટે મેં મરણનું સ્મરણ કર્યું હતું, તે જ આવતી મને આ જન્મમાં જ શી રીતે પ્રાપ્ત થઈ ?” (દ...ડીના કાવ્યાદ, ૨-૨૮૦) ૩૬ (ઈંડીએ આ બ્લેકને રસવત્ અલ`કારનું ઉદાહરણ માન્યું છે. પણ) એમાં કાવ્યના વિષયના શરીરરૂપ રતિપરિપાષની ચિત્તવૃત્તિ સિવાય બીજું કશું અલગ વસ્તુ પ્રતીત થતું નથી. એટલે એને અલંકાર્ય જ ગણીએ એ તર્કસંગત છે. (૮) અને ઉદ્ભટ— ‘સ્વશબ્દ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, વિભાવ તથા અભિનય એટલે કે અનુભાવમાં રહેતા રસને સ્પષ્ટરૂપે દર્શાવે તે રસવદલંકા(ર)” ૩૭
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy