SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૨૪, ૨૫] વક્રોક્તિછવિત ૧૫૯ (૫) ક્રિયાચિગ્યવકતાને એક પાંચ પ્રકાર એ છે, જેમાં કર્મ વગેરેનું સંવરણ કરવામાં આવે છે. એટલે કે પ્રસ્તુત ઔચિત્ય અનુસાર અતિશયની પ્રતીતિ કરાવવા માટે કર્મ વગેરેનું છુપાવીને કથન કરવામાં આવે છે. એનાથી ક્રિયાના વૈચિમાં વધારે થાય છે એટલે એને ક્રિયાચિગ્યને એક પ્રકાર ગણવામાં આવે છે. વિશાળ લેશનવાળી રમણીના મનમાં જ્યારે પ્રેમની માદકતા ઉત્પન્ન થાય છે ત્યારે સર્વવ્યાપી સૌદર્યલકમી તેની આંખોને કેઈ અપૂર્વ માધુર્ય અર્પે છે, તેના કાનમાં કંઈ અપૂર્વ વસ્તુ કહે છે, અને તેના ચિત્તમાં કંઈક અપૂર્વ એવું ચીતરી દે છે.” ૯૨ આ શ્લેકમાં તે રમણીના જ અનુભવને વિષય હોઈ વર્ણન ન કરી શકાય એવી કોઈ અનિર્વચનીય સૌંદર્યયુક્ત વસ્તુનું પ્રત્યેક પદથી પ્રતિપાદન કરતી (અપે છે, કહે છે, ચીતરે છે) ક્રિયાઓ પિતામાં કોઈ અપૂર્વ સૌદર્ય ઉત્પન્ન કરે છે. ઉપરાંત, અહીં ઉપચારવકતા પણ છે. કારણ, અર્પણ કરવું, કહેવું, ચીતરવું એ બધા ચેતનના ધર્મો છે અને તેનું અહીં ઉપચારથી આરોપણ થયું છે. બીજું ઉદાહરણ– હે પ્રિય, તમારા નૃત્યની ગતિ જરા ધીમી કરી ક્ષણ ભર ઊભા રહે એટલે હું તમારા માથાનું આભૂષણ (ચંદ્રકળા) ઢીલું થઈ ગયું છે તેને બરાબર સિથર કરી આપું” એમ પ્રેમથી મધુરતાપૂર્વક કહીને પાર્વતીએ માથા પરનો ચંદ્ર બાંધી આપતાં આનંદમાં આવી ગયેલા શિવને કેઈ અપૂર્વ ગર્વ જય પામે છે.” ૯૩ આ લેકમાં કેઈ અપૂર્વ (ડજિ) એ સર્વનામથી માત્ર શિવના જ અનુભવને વિષય હોઈ વર્ણવી ન શકાય એવો વિશિષ્ટ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy