SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તેણે પાલુ કરવાનું સામા છે તે ૧૩૦ વક્રોક્તિજીવિત [૨-૧૦, ૧૧, ૧૨ પવનને વેગ વૃક્ષને ઉખેડી નાખવાને સમર્થ હોય તો તે પર્વતને કશું કરી ન શકે.” (રઘુવંશ, ૨-૩૪) ૪૦ આ શ્લોકમાં રાજા માટે “મહીપાલ” શબ્દ વાપર્યો છે, તે એવું સૂચવે છે કે તે આખી પૃથ્વીનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે અને છતાં જેનું તેણે પ્રાણુને ભેગે પણ રક્ષણ કરવાનું છે એવી ગુરૂની ગાયરૂપ એક જીવનું પણ રક્ષણ કરી શકે એમ નથી, એવે પણ અકથ્ય અર્થ સૂચિત કરવા માટે કવિએ એ સંબોધિત વાપર્યું છે. એવું જ બીજું ઉદાહરણ– ને જીવદયાને કારણે તું આ કરતે હોય તે તારા મૃત્યુથી માત્ર આ એક ગાય બચવા પામશે. પણ જો તું જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સર્વદા તારી આખી પ્રજાને પિતાની જેમ આફતમાંથી બચાવી શકીશ.” (રઘુવંશ, ૨-૪૮) ૪૧ અહીં અર્થ એ છે કે જો તું જીવદયાને કારણે પિતાના પ્રાણ ત્યાગ કરતે હોય તે તે પણ ગ્ય નથી, કારણું, તારા મરવાથી આ એક ગાય જ બચવા પામશે; આ ત્રણે વસ્તુ આદરપાત્ર નથી, અર્થાત ઉચિત નથી. અહીં જે ત્રણ વસ્તુ કહી તે આ છેઃ (૧) પિતાની આખી પ્રજાનું રક્ષણ કરવાના કર્તવ્યની ઉપેક્ષા કરવી, (૨) એક ગાયના રક્ષણને મહત્વ આપવું, અને (૩) એ માટે પિતાના મોંઘામૂલા પ્રાણ જતા કરવા. પણ જે તે જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સદા આખી પૃથ્વી ઉપર વસતી બધી પ્રજાનું આફતથી પિતાની પેઠે રક્ષણ કરી શકીશ, એમ કહ્યું છે એથી (રાજાના નિર્ણય પ્રત્યે) અત્યંત અનાદર પ્રગટ થાય છે. વાક્યને આ અર્થ તદ્દન સ્પષ્ટ હોવા છતાં અહીં એક બીજું તાત્પર્ય પ્રતીત થાય છે. કારણ કે જે કઈ પ્રજાનાથની પદવી ધરાવતું હોય તે સદા બધી પ્રજાનું રક્ષણ ન કરે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy