SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૧૦, ૧૧,૧૨] વકૅક્તિજીવિત ૧૨૩ કરી શકે એમ હોય, જે પિતાના સૌદયના ઉત્કર્ષને લીધે મનહર હૈય, જે અકય અર્થનું સુચન કરનાર હય, જે અલંકારની શોભા વધારનાર હોય તેવા પર્યાયના ઉપયોગથી પરમાત્કૃષ્ટ પર્યાયવકતા સધાય છે. ઉપર કહેલાં વિશેષણવાળે હેય તે જ કાવ્યમાં પર્યાય ગણાય. તેને લીધે જે વૈચિય કહેતાં શભા વિશેષ પ્રગટે તે પરમત્કૃષ્ટ કેઈ અપૂર્વ પર્યાયવકતા કહેવાય છે. પર્યાયપ્રધાન શબ્દ પર્યાય કહેવાય છે. એની પર્યાયપ્રધાનતા એમાં રહેલી છે કે કોઈ વાર તે વિવક્ષિત વસતુને વાચક બને છે, પણ કોઈ વાર બીજે જ શબ્દ વાચક બને છે. આ રીતે જોતાં પર્યાયના ઘણા પ્રકારે બતાવેલા છે. એ પ્રકારે કેટલા છે તે હવે કહે છે. (૧) વાચની નિકટતમ હોય એટલે કે બીજા પર્યાય શબ્દો હોવા છતાં નિકટતમ હોવાને કારણે વિવક્ષિત વસ્તુને એ જે રીતે વ્યક્ત કરી શક્ત હોય તે રીતે બીજે કેઈ ન કરી શકતો હોય. જેમ કે – “હું તારા ઉપર ખોટો આરોપ મૂકવા માગતું નથી. તપસ્વીઓનાં બાણુને શે આદર ? મારી પાસે ગુફામાં બીજાં બાણે છે, જે વજપાણિ ઈન્દ્રના પણ પરાક્રમધનને ભંડાર છે.” (કિરાતાજુનીય, ૧૩–૫૮) ૩૨ અહીં ઈન્દ્રના વાચક હજારે પર્યાય શબ્દો મેજૂદ હેવા છતાં “વાપાણિ (વઝળ) શબ્દ વાપર્યો છે તે પર્યાયવકતાને પિષે છે. કારણ, વજી સતત પાસે હોવા છતાં સુરપતિ ઈન્દ્રનું પરાક્રમધન ગણાય એવાં બાણેની લેટેત્તરતા એથી વ્યંજિત થાય છે. “તપસ્વી” શબ્દ પણ અત્યંત રમણીય છે. કારણ, સુભટો કહેતાં વીર વૈદ્ધાઓનાં બાણને આદર કહેતાં બહુમાન તે કદાચ યેગ્ય ગણાય, પણ તપસ્વીઓના મામૂલી બાણોને શો આદર ! બીજું ઉદાહરણ– અલ્યા કોણ છે?” “હમણાં તું મને ઓળખશે.” કામદેવ.”
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy