SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૬૫ માને નહીં. “પિતાજી વૃદ્ધ થયા, તે પણ મ્હારા ધનને લોભ કરે છે.” ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી. પછી શ્રેષ્ઠિએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે, “આ શ્રેષિની પુત્રી છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચેએ શ્રેણી પાસેથી બે હજાર સેનૈયા પુત્રીને અપાવ્યા. તેથી પ્રેઠિએ “આ પુત્રીએ ફેગટ મહારૂં ધન લીધું અને તેમાં ખમાય નહીં એ અપવાદ ફેલાવ્યું.” એ વિચાર કરી મનમાં બહુ ખેદ પામે. થોડીવાર પછી પુત્રીએ પિતાને સર્વ અભિપ્રાય શ્રેષ્ઠિને સારી પેઠે કહી સમજાવી નૈયા પાછા આપ્યા, તેથી શ્રેષ્ઠિને હર્ષ થયે, અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત કહ્યું છે. ન્યાય કરનાર પંચેએ જ્યાં ત્યાં અને જે તે ન્યાય ન કરે. સાધર્મિકનું, સંધનું, હેટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તે જરૂર ન્યાય કરો. કેઈપણું જીવની સાથે મત્સર ન કરે, લક્ષમીની પ્રાપ્તિ કર્માધીન છે. માટે નકામે મત્સર કરવાથી શું લાભ છે? તેથી બને ભવમાં દુઃખમાત્ર થાય છે. અમે બીજે કહ્યું છે કે–જેવું બીજાનું ચિંતવે, તેવું પિતે પામે, એમ જાણતાં છતાં ક માણસ બીજાની લહમીની વૃદ્ધિ જોઈને મત્સર કરે ?” તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની, ઔષધમાં લાભ થવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી. કારણ કે, જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઇચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યેગથી કદાચિત્ દુર્ભિક્ષાદિ આવે તે પણ વિવેકી પુરૂષે “ઠીક થયું ” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પિતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટુંકમાં એક દૃષ્ટાંત છે. તે એકે – બે મિત્ર હતા, તેમાં એક વૃતની અને બીજે ચામડાની ખરીદી કરવા જતા હતા. માગમાં એક વૃદ્ધ સ્ત્રીને કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જાણું વૃતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ બન્ને જણા ખરીદ કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડી જમાડયા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું ગમન શુદ્ધ હતું, તેને મેં અંદર બેસાર્યો, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દષ્ટાંત કહ્યું છે. લોકમાં નિંદા ન થાય તેટલો લાભ ઉઠાવવો, કાળા બજાર ન કરવા, સે રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ થાય” એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા દ્રવ્ય ધાન્યની મજતી વખતે ચામડું ખરીદનારને ભાવ “ઢોર મરી જાય તે સારૂં” જેથી મને સસ્તુ ચામડું મળે અને પાછાં વળતાં ઘી ખરીદનારને ભાવ “ઢેરે મરી જાય તે સારું” જેથી મારે ઘીના પૈસા સારા આવે તે હતા તેથી બહાર જમવા બેસાડયા.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy