SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ [ શ્રાદ્ધ વિધિ ૧///** **'///v v vvvvvv///// આદિ, ચિરાઈ ગએલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તો તે પાપના ભાગીદાર આપણે થતા નથી એટલે લાભ છે. વેવિકી પુરૂષે પાપને વિષે અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, દ્રવ્ય અને શસ્ત્ર આદિ વસ્તુને આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે છે. અમે આ કહેલ વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમનસમજવું. શ્રીભગવતીસૂત્રના પાંચમાં શતકના છઠા ઉદ્દેશામાં “આહેડીએ હરિણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દેરીથી તથા લોઢાથી હરિ હણાય, તે જીવોને (ધનુષ્ય બાણ વગેરેના મૂળ ને. પણ હિંસા (પાંચ ક્રિયા) લાગે. એમ કહ્યું છે. વિવેકી પુરૂષ કેઈ ઠેકાણે કાંઈ ધન હાનિ આદિ થાય છે, તેથી મનમાં દીલગીર ન થવું. કારણ કે, દીલગીરી ન કરવી એજ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે–દઢ નિશ્ચયવાળા ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનાર માણસ પાછળ લાગે તે લદ્દમી કેટલી દૂર જવાની ?” જ્યાં ધનનું ઉપાર્જન કરાય, ત્યાં થોડું ઘણું ધન તે નાશ પામેજ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલે ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તે તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી પણ ખોટ ખમવીજ પડે. કેઈ સમયે દુર્દવથી ધનની ઘણી હાની થાય તે પણ વિવેકી પુરૂષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખોટ ગએલું દ્રવ્ય ધર્માર્થે ચિંતવવું. તેમ કરવાને માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરે, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે–છેદાય વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલ ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરૂષ આપત્કાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બને હેટા પુરૂષને ભેગવવી પડે છે. જુઓ, ચંદ્રમાને વિષેજ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી” એમ જાણી તું શા માટે ઝાંખો પડે છે, થોડા સમયમાં વસંતત્રતુ આવે છતે પાછી પૂર્વે હતી, તેવીજ હારી શોભા તને અવશ્ય મળશે.” પ્રબળ પૂણ્ય હેયતે ગયેલી લક્ષ્મી પણ પાછી મળે છે તે ઉપર આભડ શેઠની કથા. પાટણમાં શ્રીમાળી નાતને નાગરાજ નામે એક કટિધ્વજ શ્રેષ્ટિ હતું, તેને મેલાદેવી નામે સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી થઈ અને નાગરાજા શ્રેષ્ઠિ કેલેરાના આ પૈસા ખાવાથી ન થવું. પાંચક્રિયા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy