________________
ગ્રંથકારનો મત
૨૭.
સ્થાન
શાશ્વત- | લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ
જિનચૈત્યો ૧ ચકપર્વત | ૪ | 100 યોજન | ૫૦ યોજન | ૭૨ યોજન નંદીશ્વરદ્વીપ | ૨૦ | 100 યોજન / પ0 યોજન | ૭૨ યોજન કુલ
૫૧૧
મનુષ્યક્ષેત્રમાં ૩૦ વર્ષધરપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૧૭૦ દીર્ઘવૈતાઢયપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૨૦ ગજદંતગિરિ છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષ વગેરે ૧૦ વૃક્ષો છે. તે દરેક વૃક્ષની ઊભી શાખા ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. તે દરેક વૃક્ષની ચાર દિશા અને ચાર વિદિશામાં રહેલા ૮ કૂટો ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ વૃક્ષના ૯ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૧૦ વૃક્ષોના ૯૦ શાશ્વતજિનચૈત્યો છે.
મનુષ્યક્ષેત્રમાં ૮૦ વક્ષસ્કારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૫ મેરુપર્વતો છે. દરેક મેરુપર્વતના ચાર વન છે - ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, પાંડકવન. આ દરેક વનમાં ચાર દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. દરેક મેરુપર્વતની ચૂલિકા ઉપર પણ ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ મેરુપર્વતના ૧૭ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૫ મેરુપર્વતોના ૮૫ શાશ્વતજિનચૈત્યો છે.
મનુષ્યક્ષેત્રમાં ૪ ઇષકારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વત