________________
४१२
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
गुरुगुणरहिओ य इह दट्ठव्वो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहीणु त्ति चंडरुद्दो उदाहरणं । ।१७६ ।।
સાધુ મૂલગુણ વિનાનો હોય, તેને જ ગુરુના ગુણોથી રહિત જાણવો, પણ જે સાધુ એકાદ ગુણમાત્રથી રહિત હોય, તેને તો ગુરુના ગુણોથી યુક્ત જ સમજવો અને એમાં શ્રી ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાન્તભૂત છે. ૧૭૬
कालाइदोसओ जइवि कहवि दीसंति तारिसा न जई ।
सव्वत्थ तहवि नत्थि त्ति नेव कुज्जा अणासासं । । १७७ ।।
વળી આ દુષમ કાળાદિના દોષથી કોઈ સ્થાનમાં સુગુણશાળી સાધુઓ ન દેખાય, તેટલા માત્રથી ‘સર્વત્ર સાધુઓ નથી' તેવો અવિશ્વાસ કરવો નહિ. ૧૭૭
कुग्गहकलंकरहिया जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्त त्ति वृत्तमरिहंतसमयंमि ।।१७८ । ।
કારણ કે, શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં કદાગ્રહના કલંકથી રહિત અને યથાશક્તિ જિનાજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમશીલ સાધુઓને વિશુદ્ધ ચારિત્રવાળા કહ્યા છે. ૧૭૮
अज्जवि तिन्नपइन्ना गरुयभरुव्वहणपचला लोए ।
दीसंत महापुरिसा अखंडियसीलपब्भारा।।१७९।।
આજે પણ વિશ્વમાં પ્રતિજ્ઞાને પૂર્ણ રીતે પાળનારા, મહાભારવાળા સંયમને વહન ક૨વામાં સમર્થ અને અખંડિત શીલના પ્રાભા૨ને ધારણ કરનારા મહાપુરુષો દેખાય છે. ૧૭૯
अवि तवसुसियंगा तणुयकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता । । १८० । ।
વર્તમાન કાળમાં પણ તપના અનુષ્ઠાનથી કાયાને સુકાવનારા, અલ્પ કષાયવાળા, જિતેન્દ્રિય, ક્ષુધા આદિ પરીષહોને સહન ક૨વામાં ધીર અને કામદેવના હૃદયનું વિદારણ કરનારા=કામ વિજેતા મહાપુરુષો જગતમાં દેખાય છે. ૧૮૦
अज्जवि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता । । १८१ । ।
આ દુષમકાળમાં પણ દયાથી યુક્ત, છ જીવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા, વિકથાઓથી વિરક્ત અને સ્વાધ્યાય ગુણથી સહિત એવા તપસ્વીઓ જગતમાં દેખાય છે. ૧૮૧