SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ 8 अवस्थापञ्चकद्योतनम् 8 ૨૦૬ (२/७५) इति बृहत्संन्यासोपनिषत्कारः । जाग्रदाद्यवस्थोपयोगस्तु नारदपरिव्राजकोपनिषदि → न 'नाहं ब्रह्मेति व्यवहरेत् किन्तु 'ब्रह्माऽहमस्मी' ति अजस्रं जाग्रत्स्वप्न-सुषुप्ति-तुरीयावस्थां प्राप्य तुर्यातीतत्वं व्रजेत <- (६/२) इत्येवमावेदितः । योगचूडामण्युपनिषदि → ॐ नित्यं शुद्धं बुद्धं निर्विकल्पं निरञ्जनं निराख्यातमनादिनिधनमेकं तुरीयं यद् भूतं भवद् भविष्यत् परिवर्तमानं सर्वदानवच्छिन्नं परं ब्रह्म - (૭૨) ત્રેવં તુરતજમાવેરિતમ્ | पैङ्गलोपनिषदि तु -> अथ जाग्रत्स्वप्नसुषुप्तिमूर्छामरणावस्थाः पञ्च भवन्ति । तत्तद्देवतानुग्रहान्वितैः श्रोत्रादिज्ञानेन्द्रियैः शब्दाद्यर्थविषयग्रहणज्ञानं जाग्रदवस्था भवति । कारणोपरमे जाग्रत्संस्कारार्धप्रबोधवत् ग्राह्यग्राहकरूपस्फुरणं स्वप्नावस्था भवति । चित्तैककरणा सुषुप्त्यवस्था भवति । अकस्मान्मुद्गरदण्डाद्यैस्ताडितवद् भयाऽज्ञानाभ्यामिन्द्रियसङ्गतैः कम्पन्निव मृततुल्या मूर्छा भवति । जाग्रत्स्वप्न-सुषुप्तिमूर्छावस्थानामन्या ब्रह्मादिस्तम्बपर्यन्तसर्वजीवभयप्रदा स्थूलदेहविसर्जनी मरणावस्था भवति <-(२/११-१४) इत्येवं प्रक्रिया प्रदर्शिता । 'अहं ब्रह्मास्मी'त्यनुसन्धानं विना मरणपर्यन्तावस्थापञ्चके जीवो विपरिवर्तते तदनुसन्धाने चाग्रे तुरीयातीतावस्थां जीवः प्राप्नोति इति पराभिमतप्रक्रियाविशेषः । પ્રસ્તુત પાંચેય અવસ્થાનો ઉપયોગ નારદપરિવ્રાજક ઉપનિષદ્ધાં આ પ્રમાણે જણાવેલ છે કે – “હું બ્રહ્મસ્વરૂપ નથી.' - આવો વ્યવહાર ન કરવો, પરંતુ “મટું હાર્મિ' આ રીતે ભાવનાને જાગ્રત અવસ્થામાં રાખવી. તેનાથી સ્વપ્ન અવસ્થામાં પણ તેનું અનુસંધાન થાય છે. અને સુષુપ્તિ દશામાં પણ તેવી ભાવનાનો સંપર્ક નથી. આમ પ્રાથમિક ત્રણેય અવસ્થામાં “હું પરમાત્મા સ્વરૂપ છું.' એવી ભાવનાને સતત ઘૂંટવાથી સાધક તુરીય અવસ્થાને પ્રાપ્ત કરી પાંચમી તુરીયાતીત દશાને મેળવે છે. <– યોગચૂડામણિ ઉપનિષમાં > , નિત્ય, શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, નિરંજન, શબ્દાતીત, અનાદિ-અનંત, અદ્વિતીય એવું જે તુરીય ચેતન્ય ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્યકાળમાં વણાયેલું છે તે જ સર્વદા નિરવચ્છિન્ન (= કાલિક, દેશિક, દૈહિક, વાચિક, માનસિક, કાર્મિક, પૌલિક સર્વ ઉપાધિઓથી શૂન્ય) એવું પરબ્રહ્મ જાણવું – આ રીતે તુરીય ચેતનનો પરિચય કરાવેલ છે. ૧. | ઈંગલઉપનિષદુમાં તો > (૧) જાગ્રત, (૨) સ્વપ્ન, (૩) સુષુપ્તિ, (૪) મૂચ્છ અને (૫) મરણ-આમ પાંચ પ્રકારની અવસ્થા સંસારી જીવની હોય છે. તે તે દેવતાના અનુગ્રહથી યુક્ત વગેરે પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ વગેરે અર્થવિષયક જે જ્ઞાન થાય છે તે જાગ્રત અવસ્થા છે. જાગ્રત દશાના કારણો શાંત થાય ત્યારે જાગ્રત દશાના સંસ્કારો જાણે અર્ધપ્રબુદ્ધ હોય તે રીતે ગ્રાહ્ય-ગ્રાહકભાવની ફરાણા સ્વરૂપ સ્વપ્ન અવસ્થા થાય છે. માત્ર ચિત્ત જ ઈંદ્રિય સ્વરૂપે હોય તેવી અવસ્થા સુષુપ્તિ કહેવાય છે. (તે ચિત્ત શ્વાસોશ્વાસ વગેરેમાં પ્રેરક હોય છે.) અકસ્માત, હથોડા, દંડ વગેરેથી મારેલ હોય તે રીતે ભય અને અજ્ઞાનના કારણે હથી ધ્રુજતી એવી મડદા જેવી મુર્શિત અવસ્થા હોય છે. આ ચાર અવસ્થાથી ભિન્ન એવી પાંચમી મરણ અવસ્થા છે. તેનાથી સ્થૂળ દેહનું વિસર્જન થાય છે. બ્રહ્મા વગેરેથી માંડીને નંબ(વનસ્પતિ) સુધીના સર્વ જીવોને ભયભીત કરનાર મરણ અવસ્થા છે. આ પ્રમાણે પ્રક્રિયા જણાવેલી છે. આ પરદર્શનની માન્યતા છે. અહીં એને બતાવવાનું પ્રયોજન એ જ છે કે પૂર્વોક્ત રીતે “હું પરમાત્મા છું' એવી ભાવનાને જો આત્મસાત્ કરવામાં ન આવે તો પ્રસ્તુત પાંચ અવસ્થામાં જ જીવ પરિભ્રમણ કરતો રહે છે. માટે મરણપર્યન્ત પાંચ દશાથી છૂટવા અને તુરીયાતીત પર્યન્ત અવસ્થાને પામવા દરેક સાધકે વિશુદ્ધ આત્મસ્વરૂપનું અનુસંધાને સર્વ અવસ્થામાં જાળવી રાખવા જગૃતિ કેળવવી.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy