SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ å सुंसुमोदाहरणम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૧૦ कलङ्कभूता' इत्येवं निश्चयात् बहिः = अग्रतः = मानसप्रत्यक्षतः धर्मदेहोपष्टम्भकभोजनादौ दु:खं = दुःखसंवेदनं अन्तः = परिणामतः सुखं सुखाकारि, सुंसुमापित्रा धनेन भुज्यमानं स्वपुत्रीमांसादिकमिव । तदुक्तं आवश्यकनिर्युक्तिचूर्णौ धणो पुत्ते भणइ - ममं मारिता खाह, ताहे बच्चह णयरं । ते नेच्छंति। जेट्ठो भणइ-ममं खायह । एवं जाव डहरओ । ताहे पिया से भणइ मा अण्णमण्णं मारेमो, एयं चिलायएण ववरोवियं सुंसुमं खामो एवं आहारित्ता पुत्तिमंसं । एवं साहूणवि आहारो पुत्तिमंसोवमो कारणिओ । तेण आहारेण णयरं गया, पुणरवि भोगाणमाभागी जाया । एवं साहूवि णिव्वाणसुहस्स आभागी भवति ← (આ.નિ..૮૭૨-પૃ.૨૪૭) | પ્રશમરતૌ અપિ > ગમ્યવહોવાહાર પુત્રપવષ – (૩૯) હત્યાदिना साधोरावश्यकाहारोपभोगकालीन आशयः प्रदर्शितः । एतच्च वस्त्रपरिधानादिप्रवृत्तिकालीनाशयस्यापि सूचकम् । इदञ्च सुखं परेषां सात्त्विकसुखत्वेनेष्टम् । तदुक्तं भगवद्गीतायां > યત્તત્થે વિમિવ નિામેડભોજનના ડૂચા ભરવા પડે ! મારો અમૂર્ત-અરૂપી સ્વભાવ અને મારે વજ્ર પહેરવા પડે ! સ્થિરતા મારો સ્વભાવ અને મારે ગમનાગમન કરવું પડે ! જાગૃતિ મારો સ્વભાવ અને છતાં મારે નિદ્રાધીન થવું પડે ! આત્મરમણતા મારો સ્વભાવ અને મારે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરવી પડે ! ખરેખર, મારા માટે આ બધું કલંકરૂપ છે.' < —આવો નિશ્ચય હોવાના કારણે પોતાના ધર્મસાધન એવા શરીરને ટેકો આપનાર ભોજન વગેરે બાહ્ય પ્રવૃત્તિઓમાં માનસિક રીતે દુઃખનું સંવેદન હોય છે, પરંતુ તે પરિણામે સુખાકારી હોય છે. આનું દૃષ્ટાંત છે ચિલાતિપુત્રએ મારી નાંખેલ સુંસુમાનું માંસ વગેરે ખાનાર તેના પિતા. આવશ્યકનિયુક્તિની ચૂર્ણીમાં જણાવેલ છે કે ‘જીવતી સુંસુમાને આગળ લઈ જવા અસમર્થ એવો ચિલાતિપુત્ર જ્યારે સુંસુમાનું મસ્તક ધડથી જુદું કરી માત્ર તેણીનું મસ્તક લઈને આગળ ચાલી ગયો ત્યારે અત્યંત ક્ષુધાતુર થયેલા એવા સુંસુમાના પિતા અને ભાઈઓ ભૂખ્યા પેટે ફરીથી નગરમાં જવાને અસમર્થ હતા. જો કશું પણ ખાવાનું ન મળે તો તેઓ ત્યાં જ મૃત્યુ પામે તેવી શક્યતા હતી. તે સમયે સુંસુમાના પિતા ધન શેઠ પોતાના દીકરાને કહે છે કે “મને મારીને ખાઓ અને પછી તમે ગામમાં જાઓ.' પરંતુ દીકરાઓ તેવું કરવા તૈયાર થતા નથી. મોટો દિકરો કહે છે ‘“તમે મને ખાઓ.'' આ રીતે બધા જ દીકરાઓ એકબીજાને બચાવવા માટે કહે છે કે “મને ખાઓ, અને તમે ગામ જાઓ.'' તે વખતે પિતા કહે છે કે આપણે એકબીજાને મારીને ખાવાને બદલે ચિલાતિપુત્રએ મારેલ આ સુંસુમાના મૃતદેહને ખાઈ અને નગરમાં જઈએ. અત્યંત શોકમગ્ન ભારેખમ હૃદયે તેઓએ સુંસુમાનું માંસ ખાધું, અને તે આહારથી ભૂખ ભાંગી ગામમાં ગયા અને સુખનું ભાજન બન્યા. બરાબર આ જ રીતે સાધુઓને પણ આહાર, દીકરીના માંસ જેવો કારણિક છે. અર્થાત્ → જેમ દિકરીનું માંસ ખાવું પડે તે બાપ માટે કલંક છે તે જ રીતે અનાહારી એવા આત્માને આહારના ડૂચા ભરવા પડે તે કલંક છે. — આવું દુ:ખનું સંવેદન સાધુને આહાર આદિ આવશ્યક બાહ્ય પ્રવૃત્તિમાં હોય. જેમ સુંસુમાના પિતા અને ભાઈઓ સુંસુમાનું માંસ ખાઈ, નગરમાં જઈ, ભોગસુખના ભાજન બન્યા. તેમ સાધુ પણ આહાર વગેરેનો ટેકો લઈ, સાધના કરી, મોક્ષસુખના ભાગી થાય છે.'' પ્રશમતિ પ્રકરણમાં પણ → પુત્રના માંસને ખાવાની જેમ સાધુ આહાર કરે ←આવું કહેવા દ્વારા સાધુઓ આવશ્યક આહારનો ઉપભોગ કરે તે સમયે સાધુઓનો કેવો આશય હોય ? તે જણાવેલ છે. આ વાત વસ્ત્રપરિધાન વગેરે પ્રવૃત્તિના અવસરે સાધુઓનો આશય કેવો હોય ? તેનું પણ સૂચન કરે છે. બહારથી દુઃખરૂપે જણાતા પદાર્થ પરિણામે જે સુખને આપે છે તે સુખ અન્યદર્શનકારો સાત્ત્વિક સુખરૂપે માન્ય કરે છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે > જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy