SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સભ્યનસ્થ સાનુકુળત્વમ્ 88 અધ્યાત્મોપનિષત્પકરણ (/૬૦) મનુસ્મૃતિવનનં, – નિશ્વાસુવ નત્યિ – (૬/૧/૪૭૮) રૂતિ થેરાથાવાનું, – “નિળીનું પરમં સવં<– (૩૬/૮) રૂતિ ધમપદ્રવનં, – મનુત્તર, વોશ્યિમ, નિશ્વાન, अज्झगमं <- (२६) इति मज्झिमनिकायगतं अरियपरियेसनसूत्रमित्यादि । न चैवं परागमप्रशंसया सम्यग्दर्शनातिचारः, यद्वा सर्वदर्शनसाम्याङ्गीकारे मिश्रगुणस्थानकापत्तिरिति शङ्कनीयम्, अन्यागमगतासदंशप्रशंसानुद्देशात्, सम्यग्दर्शनस्य च परकीयागमसदंशस्वीकारानुगुणत्वान्न सम्यग्दर्शनातिचारापत्तिः, मोक्षोद्देश्यकत्वांशेन सर्वदर्शनसाम्याङ्गीकारेऽपि सर्वांशैः सर्वदर्शनप्रामाण्यानुपगमान्न विशिष्टविवेकिनां मिश्रगुणस्थानकापत्तिः । सम्यग्दर्शनातिचारसम्भवस्त्वसद्वचनप्रशंसायामेव, मुग्धतया विषयविभागं विमुच्य सर्वांशैः सर्वधर्मतुल्यतोपगमे एवच मिश्रगुणस्थानसम्भवः । धर्माह-परदर्शनिसमीपं तदभ्युपगतागमगतसदंशप्रशंसायामापे तात्त्विकधर्मप्रवेशनोद्देशात् तथाविधधर्मप्रवर्तनादिना परदर्शनिहितवृत्तिरेव भावनाज्ञानवतां, न तु सर्वांशे यथाकथञ्चिद्वा तदागमप्रशंसाभिप्रायः । પરમાત્મા પ્રકાશે છે – માર્કડેયપુરાણનું વચન; – રાગ; ષ વગેરે સર્વ દોષો ભવભ્રમણના કારણ છે - આવું કૂર્મપુરાણનું વચન; – અહિંસા, સત્યવાણી, વચન-આચરણ વચ્ચે અવિસંવાદ (= સત્ય), શૌચ = પવિત્રતા, દયા, ક્ષમા,- આ સર્વ વાશ્રમીઓ અને સર્વ સંન્યાસી-સાધુઓનો સામાન્ય ધર્મ છે. – આવું અંગ્રપુરાણનું વચન તથા > જીવનો સતત ઘાત કરનારા, અને કેળાના ઝાડના થડની જેમ અસાર અને પાણીના પરપોટાની જેમ ક્ષણિક એવા ઘોર સંસારની અંદર જે વ્યક્તિ સાર પદાર્થને શોધવાનો પ્રયત્ન કરે છે તે ખરેખર સંમૂઢ છે –આવું મનુસ્મૃતિનું વચન; તેમ જ > નિર્વાણ સુખ કરતાં બીજી કોઈ વસ્તુ શ્રેષ્ઠ નથી. –આવું થે૨ગાથા નામના બૌદ્ધગ્રંથનું વચન, – નિર્વાણ પરમ સુખ છે –આવું ધમપદનામના બૌદ્ધગ્રંથનું વચન; -> જેનાથી કોઈ ચઢિયાતું નથી તેવો મોક્ષ આત્માનું યોગક્ષેમ કરનાર છે અને અનુભવગમ્ય છે. – આવું મંઝિમનકાય નામના બૌદ્ધગ્રંથનું અરિયપરિયેસનસૂત્ર. ઉપરોકત શાસંદર્ભથી અન્યદર્શનના આગમોમાં પણ ઉદ્દેશ્યરૂપે મોક્ષ જ વણાયેલો જણાય છે. - પરદર્શનના સત્ અંશને સ્વીકારવામાં સમ્યગદર્શન નિરતિચાર | ન વૈવં૦ | અહીં એવી શંકા થાય કે – આ રીતે અન્યદર્શનોના આગમોની પ્રશંસા કરવાથી સમ્યગદર્શનને અતિચાર લાગશે, અથવા તો સર્વદર્શનને સમાન માનવામાં, મિશ્રગુણસ્થાનક પ્રાપ્ત થવાની આપત્તિ આવશે. કારણ કે સર્વધર્મસમાને આ પરિણામ તો મિત્રગુણસ્થાનકવર્તી જીવનો હોય એમ કર્મગ્રંથ વગેરેમાં જણાવેલ છે. -- - તો આવી શંકા નિરાધાર છે. કારણ કે અમારા ઉપરોક્ત વકતવ્યનો ઉદ્દેશ અન્ય આગમમાં રહેલ મિથ્યાઅંશની પ્રશંસા નથી. તેમ જ સમ્યગદર્શન તો અન્ય આગમમાં રહેલ સત્ અંશને સ્વીકારવામાં અભિમુખ હોય છે. માટે ઉપરોક્ત વાતને સ્વીકારવાથી સમ્યગદર્શનનો અતિચાર લાગવાની આપત્તિ નહિ આવે. સર્વદર્શનનું ઉદ્દેશ્ય મોક્ષ હોવાના કારણે એ અંશમાં સર્વદર્શનની સમાનતા સ્વીકારવા છતાં પણ સર્વદર્શનોમાં સર્વ અંશોનું પ્રામાય ન સ્વીકારવાના કારણે, વિશિષ્ટ વિવેકસંપન્ન જીવોને મિત્રગુણસ્થાનક આવવાની આપત્તિ રહેતી નથી. સમ્યગ્દર્શનનો અતિચાર તો અસત વચનની પ્રશંસામાં જ સંભવે છે. તથા મુગ્ધપાણાના કારણે વિષયવિભાગને છોડીને સર્વાશે સર્વ ધર્મોને તુલ્ય માનવામાં જ મિથગુણસ્થાનક આવવાનો સંભવ છે. વળી, અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે ધર્મયોગ્ય પરદર્શની પાસે તોણે સ્વીકારેલ આગમના સત અંશની પ્રશંસા કરવામાં પણ ભાવનાજ્ઞાનીનો આશય પરદર્શનીને તાત્વિક ધર્મમાં કરાવવાના ઉદ્દેશથી તેવા પ્રકારના ધર્મમાં પ્રવર્તાવવા દ્વારા તેના હિતનો જ હોય છે, નહિ કે સર્વ અંશમાં તેના આગમની પ્રશંસાનો અભિપ્રાય. આવું કહેવા દ્વારા > “ આબાદીની કામનાવાળા જીવે વાયુ દેવતા સંબંધી સફેદ બોકડાનું બલિદાન દેવું.” <- ઈત્યાદિ શતપથબ્રાહ્મણ વગેરે વેદવચનોના
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy