SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ (પ્રસ્તાવિD...) પરમાત્મા મહાવી૨દેવના એક સ્તવનમાં કવિ લખે છે, 'કા૨ક ષટ્રક થયા તુજ કે આતમ તત્ત્વમાં, ધા૨ક ગુણ સમુદાય સયલ એકત્વમાં.' અહીં સહેજે પ્રશ્ન ઊઠે કે એક આત્મદ્રવ્યમાં છ કા૨કની ઘટના શી રીતે થઈ શકે ? કર્તા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિક૨ણ એ છ કા૨ક કહેવાય છે. ઉદાહરણ તરીકે એક વાકય લઈએ > 'ઓ૨ડામાં બાળક તૃષા છિપાવવા માટલામાંથી ગ્લાસ વડે પાણી લઈને પીવે છે.' અહીં ક્રિયા = પીવાની (પાન ક્રિયા), કર્તા = બાળક કર્મ = પાણી, કરણ = ગ્લાસ, સંપ્રદાન (પ્રયોજન) = તૃષાશમન, અપાદાન = માટલું, અધિક૨ણ = ઓ૨ડો. આમાં એક ક્રિયા પ્રત્યે છે કા૨ક થયા પણ છએ કા૨ક પ૨૫૨ ભિન્ન છે. જ્યારે કાવ્યની ઉકત પંક્તિમાં તો એક જ પ્રભુના આભદ્રવ્યમાં કા૨કષકની પ્રરૂપણા કરાઈ છે. તેને ઘટાવવા વાકયપ્રયોગ કંઈક આવા પ્રકા૨નો કરવો પડશે – 'પ્રભુનો આત્મા, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં ૨હીને જાણે છે. હવે ક્રમશ: છએ કા૨કોની ઘટના જોઈએ. (i) જ્ઞાન ક૨ના૨ પ્રભુનો પોતાનો આત્મા છે, તે કર્તા કા૨ક છે. (i) જાણવાની ક્રિયાનો વિષય પણ પોતાનો આત્મા, તે કર્મકા૨ક. અહીં પ્રશ્ન થાય કે શું પ્રભુ અન્ય સર્વ આત્માઓને ન જાણે ? ન જાણે તો અહિંસાપાલન શે થાય ? પણ અહીં ખરૂં તથ્ય એ છે કે પ૨ આત્માને પ્રભુ પોતાના આત્મા જેવો જ “ગાત્મવત્ સર્વમૂતy જાણે છે. શ્રી આચારાંગ સૂત્રમાં માટે જ તો કહ્યું, “નં દંતુમિતિ તે ગામેવ નાદિ અર્થાત્ જેની હિંસા ક૨વા તું તૈયાર થયો છે, તેને તારા જ આત્મા તરીકે દેખ.' હવે સર્વ પ૨જીવોમાં સ્વાત્મદર્શન થાય તો હિંસા થાય ખરી ? બીજા જીવ ઉપ૨ પોતાના જેવી લાગણી બંધાઈ જાય પછી હિંસા શાની થાય ? પોતાની હિંસા કોઈ કરે ખરું ? આ કક્ષા પ્રાપ્ત થાય પછી કાંટાથી જેમ બચીને ચલાય છે તેવી જ રીતે કીડીથી પણ બચીને ચલાય છે. જાણે કે સર્વ જીવોમાં પોતાનો જ જીવ દેખાય. અંગ્રેજીમાં કો'કે જબરૂં લખ્યું છે "The otherness is Hell' પ૨પણું એ ન૨ક છે. “જે માયા’ ના રિદ્ધાન્તવચનનું જ તેમાં પ્રતિબિંબ પડે છે ને ! હવે બીજો એક પ્રશ્ન થાય કે શું પ્રભુ જડ પદાથને નથી જાણતા ? અને જાણે
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy