SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૫૬ ॐ अष्टावक्रगीतादिसंवादः ૧૧૭ (૬/૨) વૃતિ સાસૂત્રાત્, ‘સન્ન:’← (૨-૨૨) કૃતિ અષ્ટાવીતાવવનાય નિત્યનિर्लेपात्मव्यवस्थितौ बुद्धिलेपोऽपि = हिंसनपरिणामकृतबुद्धिलेपोऽपि कः आत्मनि मालिन्यमाधातुं समर्थः ? नैवेत्यर्थः । इत्थञ्च बन्धस्यैवाऽसम्भवात् कस्य मुक्तिः स्यात् ? हि यतः बन्ध-मोक्षौ सामानाधिकरण्येन युक्तौ, 'य एव बध्यते स एव मुच्यत' इति प्रेक्षावतां व्यवबन्धमोक्षादिकं नास्ति' – (५-३८) इति कण्ठत उक्तमिति = परस्परसमानाधिकरणवृत्तित्वेनैव सङ्गत हारात् । तेजोबिन्दूपनिषदि तु निष्फलमेव परिव्राजकत्वं स्यात्कूटस्थनित्यात्मपक्ष इत्यवधेयम् ॥१ / ५५ ॥ एकान्तक्षणिकात्मपक्षे तदसम्भवमाह 'अनित्ये 'ति । अनित्यैकान्तपक्षेऽपि, हिंसादिकमसङ्गतम् । = = મુલ્ય स्वतो विनाशशीलानां, क्षणानां नाशकोऽस्तु कः ? || ५६ ॥ अनित्यैकान्तपक्षेsपि = नित्यत्वाऽसम्भिन्नाऽनित्यत्वदर्शनेऽपि आत्मनो हिंसादिकं असङ्गतं वृत्त्या अघटमानकं, नाशहेतोर्विरहात् । इयं हि बौद्धानां व्यवस्था - नाशहेतुभिर्घटादीनां नाशस्ततो भिन्नोऽभिन्नो वा विधीयते ? आधे घटादीनां तादवस्थ्यम् । अन्त्ये च घटादय एव कृतास्स्युरिति स्वभावत एवो - दयानन्तरं विनाशिनः क्षणिकाः सर्वे भावाः । ततश्च स्वतः एव विनाशशीलानां = विनश्वराणां = > બન્ધ, મોક્ષ વગેરે નથી. ← આવું સ્પષ્ટ રીતે કણ્વતઃ જણાવ્યું છે. આમ એકાંત નિત્ય પક્ષમાં આત્માના બંધ અને મૌક્ષ અસંભવિત હોવાથી સંસારનો ત્યાગ નિષ્ફળ જ બની જશે. આ વાત ધ્યાનમાં રાખવી. (૧/ ૫૫) એકાંતક્ષણિક એવા આત્માને સ્વીકારનાર વાદીઓના મતમાં હિંસા વગેરેનો અસંભવ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે - શ્લોકાર્થ :- એકાંત અનિત્યપક્ષમાં પણ હિંસા વગેરે અસંગત છે. સ્વતઃ વિનશ્વર એવી ક્ષણોનો નાશક કોણ હોય ? (૧/૫૬) ♦ એકાંત અનિત્યપક્ષમાં હિંસા અસંભવિત > ટીકાર્થ:- નિત્યત્વથી લેશ પણ મિશ્રિત ન થયેલ એવા ક્ષણિકત્વને સર્વ પદાર્થોમાં સ્વીકારનાર બૌદ્ધદર્શનમાં પણ મુખ્યરૂપે આત્માની હિંસા વગેરે ઘટી નહીં શકે. કારણ કે તેઓના મત મુજબ નાશનો કોઈ હેતુ જ હોતો નથી. બૌદ્ધ વિદ્વાનોના મતે એવી વ્યવસ્થા સ્વીકારવામાં આવેલ છે કે નાશના હેતુ દ્વારા ઘટાદિનો જે નાશ થાય તે નાશ ઘટાદિથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તો ઘટાદિને એનાથી શું લાગે વળગે? એટલે કે ઘટાદિ તો ત ્વસ્થ જ રહેશે. જેમ પટાદિનો નાશ ઘટાદિથી સર્વથા ભિન્ન હોવાથી પટાદિ નાશ થાય ત્યારે ઘટાદિને નાશ પામવાનું હોતું નથી તેમ પ્રસ્તુતમાં પણ ઘટાદિ નાશ પામશે નહિ. “એ નાશ ઘટાદિથી અભિન્ન છે.'' એવો બીજો વિકલ્પ પણ માની શકાતો નથી. કારણ કે ઘટનાશક હેતુ દ્વારા ઘટથી અભિન્ન એવો નાશ ઉત્પન્ન થાય તો ‘ઘટનો નાશ ઉત્પન્ન થયો' એવું કહેવાથી ‘ઘટ જ ઉત્પન્ન થયો' એવું માનવાની આપત્તિ આવશે. પરંતુ આ સંભવિત નથી. કારણ કે ઘટાદિ તો પોતાના કારણોથી ઉત્પન્ન થયેલાં જ છે. આમ નાશક તરીકે મનાયેલ હેતુ ઘટાદિથી ભિન્ન કે અભિન્ન એવો કોઈ પણ પ્રકારનો નાશ કરે તેવું સંભવતું ન હોવાથી કોઈ પણ નાશક હેતુ જ માની શકાતો નથી. આવું હોવાથી એવું માનવું પડે છે કે
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy