SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪૦ स्याद्वादे संशयानवकाशः = ननु एवं स्वरूप पररूपयोः स्वरूपावच्छेदेन पररूपावच्छेदेन च सत्त्वासत्त्वाद्यनेकधर्मविशिष्टवस्तुविद्योतनप्रवणे अनेकान्ते व्यापके = सर्ववस्तुव्यापिनि स्वीक्रियमाणे सति आनेकान्त्यात् = अनेकान्तस्वभावमाश्रित्य कुत्रापि निश्चितिः निश्चयः कस्मिंश्चिदपि वस्तुनि सत्त्वादिविषयिणी निर्णीतिः कस्यापि कदापि न स्यात्, संशयसामग्रीसत्त्वेन निश्चयसामग्रीविरहात् । तथाहि एकस्मिन् ज्ञानात्मके धर्मिणि तद्धर्माभावप्रकारकत्वे सति तद्धर्मप्रकारकज्ञानत्वं संशयत्वम् । निश्चयत्वन्तु एकस्मिन् धर्मिणि तद्धर्माभावाऽप्रकारकत्वे सति तद्धर्मप्रकारकज्ञानत्वरूपम् । अनेकान्तावलम्बने तु सत्त्व-तदभावलक्षणविरुद्धकोटिद्वयोपस्थिते संशयोत्पत्तिरेव स्यात्, न तु निश्चयोदयः । न ह्येकत्र सत्त्वनिर्णयकृते स्याद्वादिनोऽसत्त्वपराङ्मुखाः स्युः स्वप्नेऽपीति प्रातिस्विकवस्तुस्वरूपनिश्चयशून्यता स्याद्वादे दूषणमिति परवादिनां मतिः चेत् ? ॥१/३९॥ उत्तरपक्षयति ‘અત્યં’તિ । = = = = अव्याप्यवृत्तिधर्माणां, यथावच्छेदकाश्रया । યા = नापि ततः परावृत्तिस्तत् किं नात्र तथेक्ष्यते ? ॥४०॥ येन प्रकारेण अव्याप्यवृत्तिधर्माणां संयोगतदभावादीनां अवच्छेदकाश्रया अवच्छेदकभेदावलम्बिनी निर्णीतिः नैयायिकैः स्वीक्रियते तथैवेदमभ्युपगम्यताम् । अयमाशयः नैयायिकनये कपिसंयोगादीनां ટીકાર્થ :> જો પૂર્વોક્ત રીતે સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને પરરૂપની અપેક્ષાએ અસત્ત્વ વગેરે અનેક ધર્મથી વિશિષ્ટ વસ્તુનું પ્રકાશન કરવામાં નિપુણ એવા અનેકાંતને સર્વ વસ્તુઓમાં વ્યાપકરૂપે સ્વીકારવામાં આવે તો અનેકાંત સ્વભાવને આશ્રયીને કોઈ પણ વસ્તુમાં સત્ત્વઆદિવિષયક નિશ્ચય કોઈને પણ કયારેય પણ નહીં થાય, કારણ કે ત્યાં સંશયની સામગ્રી હાજર હોવાથી નિશ્ચયની સામગ્રીનો અભાવ છે. તે આ મુજબ- એક ધર્મીમાં એક ધર્મના સદ્ભાવ અને અસદ્ભાવ-બન્નેનું અવગાહન કરનાર જ્ઞાન સંશય કહેવાય છે. જ્યારે નિશ્ચયનું સ્વરૂપ છે એક ધર્મીમાં વિવક્ષિત ધર્મના અભાવનું ભાન ન થવાપૂર્વક વિવક્ષિત ધર્મનું ભાન થવું. અનેકાંતનો આશ્રય કરવામાં આવે તો સત્ત્વ અને અસત્ત્વ = સત્ત્વઅભાવ - આમ બે વિરુદ્ધ કોટિની પક્ષની ઉપસ્થિતિ થવાથી સંશયની જ ઉત્પત્તિ થશે, નહિ કે નિશ્ચયની. એક ધર્મીમાં સત્ત્વ ધર્મનો નિર્ણય કરવા માટે સ્વપ્નમાં પણ સ્યાદ્દાદીઓ અસત્ત્વ ધર્મથી વિમુખ થતા નથી. માટે વસ્તુના વૈયક્તિક સ્વરૂપનો નિશ્ચય ન થવો સ્યાદ્દાદનું દૂષણ છે. – આ પ્રમાણે પરવાદીઓની બુદ્ધિ હોય તો- (૧/૩૯) એ તેનો જવાબ આપતા ગ્રંથકારથી જણાવે છે કે —> શ્લોકાર્થ :- જે રીતે અવચ્છેદકભેદને આશ્રયીને અવ્યાપ્યવૃત્તિ ધર્મોનો એકત્ર નિર્ણય થઈ શકે છે તેમ જ અવચ્છેદકભેદનો આશ્રય કરવાથી વસ્તુસ્વરૂપનું પરાવર્તન થતું નથી. તેમ અનેકાંતવાદમાં તેવા પ્રકારે પરવાદીઓ કેમ વિચારતા નથી ? (૧/૪) * અવ્યાપ્યવૃત્તિ ધર્મ-સમાવેશ વિચાર = re - ટીકાર્થ :- જે રીતે સંયોગ, સંયોગાભાવ વગેરે અવ્યાપ્યવૃત્તિ ધર્મોનો અવચ્છેદકભેદનો (અંશભેદનો) આશ્રય કરીને એકત્ર તે ધર્મોનો નિર્ણય નૈયાયિકો સ્વીકારે છે તે જ રીતે સત્ત્વ-અસત્ત્વનો પણ એકત્ર સમાવેશ સ્વીકારવો જોઈએ. કહેવાનો આશય એ છે કે નૈયાયિક મતે કપસંયોગ વગેરે ધર્મો પોતાના અભાવના અધિકરણમાં રહેવાને લીધે, નૈયાયિકમતે અવ્યાપ્યવૃત્તિ છે. મતલબ કે કપિસંયોગ, કપિસંયોગાભાવ આ બે વિરૂદ્ધ ધર્મ એક જ ઝાડમાં રહે છે. તેથી તે બન્ને અવ્યાપ્યવૃત્તિ કહેવાય છે. અવ્યાપ્યવૃત્તિતાનો અર્થ છે વસ્તુના અમુક પ્રદેશમાં રહેવું, કોઈ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy