________________
૧૬૮
મૂળગાથા - શબ્દાર્થ
બધા સૂર્યોના અભ્યન્તર મંડલથી બાહ્યમંડલ સુધી અવશ્ય ૫૧૦ યોજનની અબાધા છે. (૭૦)
પવિસેઈ ય ઉયહિમ્મી, તિન્નેવ સયાઈં તીસં અહિયાઈ । અસિયં ચ જોયણસયં, જંબુદ્દીવમ્મિ પવિસેઈ ૭૧॥
ચન્દ્ર-સૂર્ય સમુદ્રમાં ૩૩૦ યોજન પ્રવેશે છે અને જંબુદ્રીપમાં ૧૮૦ યોજન પ્રવેશે છે. (૭૧)
તે મેરુ પરિયડંતા, પઆહિણાવત્તમંડલા સબ્વે । અણવિટ્ટયજોગજુઆ, ચંદા સૂરા ગહગણા ય II૭૨॥
નક્ષત્ર સાથે અનવસ્થિત યોગવાળા ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણો જંબુદ્વીપના મેરુની ચારે તરફ પ્રદક્ષિણાવર્ત્ત મંડલમાં ભમે છે. (૭૨) ચંદાઓ સૂરસ્ત ય, સૂરા ચંદસ અંતર હોઈ । પન્નાસસહસ્સાઈં તુ, જોઅણાણં સમહિઆઈ ।।૩।।
(મનુષ્યલોકની બહાર) ચન્દ્રથી સૂર્યનું અને સૂર્યથી ચન્દ્રનું અંતર સાધિક ૫૦,૦૦૦ યોજન છે. (૭૩)
પણયાલસયં પઢમિલ્લુયાઈ, પંતીએ ચંદસૂરાણું । તેણ પરં પંતીઓ, છગસત્તગવુદ્ધિઓ નેઆ II૭૪
મનુષ્યલોકની બહાર પહેલી પંક્તિમાં ૧૪૫ ચન્દ્ર-સૂર્ય છે. ત્યાર પછી ૬ કે ૭ ની વૃદ્ધિથી પંક્તિઓ જાણવી. (૭૪) ચંદાણ સવ્વસંખા, સત્તતીસાઈ તેરસસયાઈ । પુખ્ખરદીવિઅરદ્ધે, સૂરાણ વિ તત્તિઓ જાણ II૭૫॥
પુષ્કરવરાર્ધદ્વીપમાં ચન્દ્રોની સર્વસંખ્યા ૧,૩૩૭ છે. સૂર્યોની સંખ્યા પણ તેટલી જાણ. (૭૫)