SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અથવા તો આ બધી ચર્ચાઓથી સર્યું. હવે અમે સર્વાદિ ગણપાઠમાં ‘સંજ્ઞાયા)' વચનનો નિવેશ કરશું, જેથી સંજ્ઞામાં વર્તતું ગણપાઠ અન્તર્ગત કોઈપણ સર્વ વિગેરે નામ સર્વાદિ નહીં ગણાય. શંકા - સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે શબ્દો ગૌણ બની જાય છે, તેથી અહીં પ્રસિદ્ધિ-અપ્રસિદ્ધિ થશે મુક્યો: મુક્ત સંપ્રત્ય:'ન્યાયને અવકાશ રહેતો હોવાથી સંજ્ઞા સિવાયના સ્થળે પોતાના સાકલ્યાદિ મૂળ અર્થમાં વર્તતા મુખ્ય સર્વ વિગેરે નામોને આશ્રયને જ સર્વાદિ કાર્યો થશે, સંજ્ઞામાં વર્તતા ગૌણ સર્વ વિગેરે નામોને આશ્રયીને નહીં. તો શા માટે તમારે સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે નામોના સર્વાદિત્વના નિષેધાર્થે ગણપાઠમાં અસંશાયી વચનનો નિવેશ કરવો પડે ? સમાધાન - તમારી વાત બરાબર નથી, કેમકે “જો .' ન્યાય પદકાર્ય સ્થળે જ પ્રવર્તે છે, નામકાર્ય સ્થળે નહીં. અહીં પ્રસંગવશ ‘પદકાર્ય અને નામકા કોને કહેવાય તે સમજી લઇએ. (a) નામકાર્ય - કોઇપણ અર્થવાન શબ્દને (મૂળ શબ્દને) સ્ત્રી પ્રત્યયો કે વિભક્તિના પ્રત્યય લાગતા વ્યાકરણસૂત્ર વિહિત જે કાર્ય થાય તે નામકાય કહેવાય છે. જેમકે : પ્રયોગસ્થળે જો શબ્દને સ પ્રત્યય લાગતા ‘ત: ગી: ૨.૪.૭૪' સૂત્રથી જે તે શબ્દના અંત્ય શો નો ગો આદેશ કરીએ છીએ તે ‘નામકાર્ય ગણાય. (b) પદકાર્ય(C) – નામને એકવાર વિભકિતના પ્રત્યયો લાગ્યા પછી જ્યારે તે ભાષા કે લોકવ્યવહારમાં પ્રયોગને યોગ્ય પદ રૂપે તૈયાર થઈ જાય, ત્યાર પછી તે પદનો પદાર સાથે સંબંધ કરાતા મૂળ પદને વ્યાકરણના સૂત્રો પ્રમાણે જે કાર્ય થાય તે પદકાય કહેવાય. જેમકે મનીષોનો પ્રયોગસ્થળે અનિશ સોમશ = અનિષોમો આમ ભાષા કે લોકવ્યવહારમાં પ્રયોગને યોગ્ય નિઃ પદનો સોમ: પદની સાથે દ્વન્દ્રસમાસ કર્યા બાદ ‘ પોમવો. રૂ.૨.૪ર’ સૂત્રથી નિઃ આ મૂળ પદના અંત્ય રૂ નો દીર્ઘ આદેશ કરવો એ પદકાર્ય ગણાય. પ્રસ્તુતમાં સર્વ વિગેરે શબ્દોને લાગતા સાદિ વિભક્તિના પ્રત્યયોનો એ આદિ આદેશ કરવો એ નામકાર્ય (A) આ વચન બુ.વૃત્તિમાં દર્શાવેલાં સર્વાદિ ગણપાઠમાં છેલ્લે '... મમ્મદ્ ઉન્ત્ય સંગ્રાયો સર્વાતિઃ' સ્થળ છે. (B) સર્વ શબ્દનો ‘સાકલ્ય” અર્થ પ્રસિદ્ધ છે. તેથી સાકલ્ય' અર્થનો વાચક સર્વ શબ્દ મુખ્ય ગણાય. જ્યારે સર્વ શબ્દ કોકની સંજ્ઞામાં વર્તતો હોય ત્યારે તે વ્યકિત વિશેષ રૂપ અર્થ કે જે અપ્રસિદ્ધ છે તેનો વાચક બનતો હોવાથી સંજ્ઞાસ્થલીય સર્વ શબ્દ ગૌણ ગણાય. અને જળમુક્યો:૦' ન્યાયથી સર્વાદિનામાશ્રિત આદેશાદિ કાર્યમાં મુખ્ય સર્વ શબ્દનું જ ગ્રહણ થાય. દા.ત. સર્વાય તેદિ સ્થળે સર્વ શબ્દ અપ્રસિદ્ધ વ્યક્તિ વિશેષની સંજ્ઞામાં વર્તતો હોવાથી એ આદેશ ન થયો. અર્થ – સર્વ નામના વ્યકિતને આપ. (C) વિમવનમરત્વે સત સ્ત્રીત્વાગનિમિત્તત્ત્વ પર્યત્વમ્
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy