________________
૧.૪.૭
૪૩
જ્ઞાતિ શબ્દનો પ્રયોગ થઇ શકે છે. અને આવા સ્થળે સ્વ શબ્દની પાછળ પ્રયુક્ત જ્ઞાતિ શબ્દ માત્ર સ્વ શબ્દના જ્ઞાતિ રૂપ વિવક્ષિત અર્થના સ્પષ્ટીકરણાર્થે જ હોવાથી તેને લઇને સ્વ શબ્દ શબ્દાન્તરને સાપેક્ષ ન ગણાય. આ જ રીતે ધનાર્થક સ્વ શબ્દ અંગે પણ સમજી લેવું.
(15) અન્તર શબ્દ ‘બહિયેંગ’ અને ‘ઉપસંવ્યાન’ અર્થમાં સર્વાદિ ગણાય છે. પણ એટલું વિશેષ કે બહિયેંગ અર્થમાં વર્તતો અન્તર શબ્દ જો પુર્ શબ્દના વિશેષણ રૂપે હોય તો તે સર્વાદિ નથી ગણાતો. બહિયેંગ બે પ્રકારે છે – બહિર્ભાવની સાથે યોગ રૂપ અને બાહ્યની સાથે યોગ રૂપ. ઉપસંવ્યાન પણ બે પ્રકારે છે - ઉપસંવ્યાન રૂપ અને ઉપસંવીયમાન રૂપ.
આને જરા આપણે વિસ્તારથી સમજીએ. મન્તર શબ્દ આમ તો ચૌદ અર્થમાં વર્તે છે. તેની કારિકા અને દૃષ્ટાંતો આ પ્રમાણે છે
अन्तरमवकाशावधिपरिधानान्तर्द्धिभेदतादर्थ्ये |
छिद्रात्मीयविनाबहिरवसरमध्येऽन्तरात्मनि च । । (ल.श.शे.)
(i) અવારો - અન્ત હિ (ii) અવધી – માસાન્તરે વેયમ્ (iii) પરિધાને (૩૫સંવ્યાને) – અન્તરે શાટા: (iv) અન્તો - ઘનાન્તરિત: સૂર્ય: (v) મેરે - યવન્તર સિંહ‰ાયો: (vi) તાવથ્થુ – તવાન્તરે ૠળ ગૃહિતમ્ (vii) છિદ્ર - મન્તર પતિ (viii) આત્મીયે – અન્તરે બના: (ix) વિનાર્થે - અન્તરેળ પુરુષારમ્ (x) વહિરર્થે - મન્તરે વાડાનĮહા: (xi) અવસરે – અન્તરજ્ઞ: સેવ: (xii) મધ્યે – અનવોરન્તરે શૈĞ: (xiii) અન્તરાત્મનિ - અન્યાન્તર આત્માઽનમયઃ। શ્લોકમાં વકાર અનુક્ત સમુચ્ચયાર્થક હોવાથી સાદૃશ્ય અર્થનો પણ સમુચ્ચય થાય છે. (xiv) સાયે - સ્થાનેઽન્તરતમઃ.
આ ચૌદ અર્થો પૈકી માત્ર ‘બહિયેંગ’ અને ‘ઉપસંવ્યાન' અર્થમાં જ અન્તર શબ્દ સર્વાદિ ગણાય છે. તેમાં બહિર્યોગ બે પ્રકારે છેઃ બહિર્ભાવની સાથે યોગ રૂપ અને બાહ્યની સાથે યોગ રૂપ.
(a) બહિર્ભાવની સાથે યોગ – હિર્ એટલે અનાવૃત્ત દેશ (ખુલ્લો પ્રદેશ) અને તે સ્વરૂપ જ ભાવ એટલે બહિર્ભાવ. અર્થાત્ ખુલ્લા પ્રદેશને બહિર્ભાવ કહેવાય અને તેની સાથે સંબંધવાળી વસ્તુને બહિર્ભાવની સાથે યોગવાળી વસ્તુ કહેવાય. જેમકે બન્દરમે ગૃહાય સ્પૃહતિ એટલે ‘નગરની^) બહાર કિલ્લા, ખાઇ વિગેરેથી નહીં આવરાયેલા ખુલ્લા પ્રદેશમાં રહેલા ચંડાળ વિગેરેના ઘરની સ્પૃહા કરે છે.' અહીં ચંડાળના ગૃહો નગરની બહારના ખુલ્લા પ્રદેશની સાથે સંબદ્ધ હોવાથી બહિર્ભાવની સાથે યોગ જણાય છે, તેથી તે અર્થમાં વર્તતો અન્તર શબ્દ સર્વાદિ ગણાતા તેના સંબંધી કે પ્રત્યયનો સ્પે આદેશ થયો છે.
(A) વતુબ્રતોલીયુત્તપ્રાારાવૃત્ત નરમુષ્યતે।