SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ૧.૨.૪ રીતે ર૬ ગત ૨ અને ૩ માં વર્તતા બન્ને વચ્ચે જૂ અને ટુ શબ્દો વ્યવધાયક બને છે તેથી તેમનામાં ભેદ પડે છે અને C નો ર વર્તી એ અનુદાત્ત અને ૪ વર્તી આ ઉદાત્ત હોવાથી તેમનામાં ગુણને લઇને ભેદ પડે છે. શંકા - ઉદાત્તાદિ અનેક પ્રકારના ગુણવાળા એ વિગેરે વર્ષો પૈકી જે ગુણવાળા આ વિગેરે વર્ગોનું વર્ણસમાપ્નાયમાં ગ્રહણ કર્યું હોય તેમને જ આ સૂત્રથી સ્વર સંજ્ઞા થઇ શકે. તેથી ઇડીમ્ સ્થળે જુદા જુદા ગુણવાળા ની સંધિ થઇ દીર્ધ આદેશ ન થઇ શકે. કેમકે “સ્વસ્થ હસ્વ-રી-નુતી'ન્યાય મુજબ સ્વરસંજ્ઞાને પામેલાનો જ દીર્ઘ આદેશ થઈ શકે છે. સમાધાન -જાતિનો આશ્રય કરવાથી દોષ નહીં આવે. આશય એ છે કે ઉદાત્ત, અનુદાત્ત વિગેરે ગુણને લઇને , વિગેરે વર્ણવ્યકિત ભલે અનેક હોય પરંતુ તે સર્વમાં વર્તનારી ત્વ, રૂત્વ વિગેરે જાતિઓ તો એક જ હોય છે. કેમકે જાતિ એક, નિત્ય અને દરેકમાં વર્તનારી મનાઈ છે. (અર્થાત્ નવ જાતિ એક, નિત્ય અને દરેક પ્રકારના મ માં વર્તનારી મનાઇ છે.) વર્ણસમાપ્નાયમાં જેમ વિગેરે વોં બતાવ્યા છે તેમનો જાતિમાં નિર્દેશ હોવાથી તેમનાથી મત્વ વિગેરે જાતિઓ જણાશે અને વ્યકિત જાતિને અવિનાભાવી હોવાથી દરેક રુ વિગેરે વર્ણવ્યકિતઓ સહજ કાર્યાન્વયી બની જશે. એટલે કે આ સૂત્રથી થતા સ્વરસંજ્ઞાના વિધાનરૂપ કાર્યમાં દરેક પ્રકારના મ, વિગેરે વર્ગોનો અન્વય થશે. માટે હુન્ડા સ્થળે અલગ-અલગ ગુણવાળા બન્ને ને સ્વરસંજ્ઞા થવાથી સંધિ થઇ શકશે. શંકા - જાતિનો આશ્રય જો કરો છો તો મૃત્વ, સ્ત્ર વિગેરે જાતિ દીર્ઘ ના, વિગેરે વર્ણવ્યક્તિમાં પણ રહે છેA). તેથી ના ગ્રહણથી તેમનું પણ સહજ ગ્રહણ થઇ જ જાય છે. માટે વર્ણસમાસ્નાયમાં દીર્ઘ વર્ગોનો પાઠ દર્શાવવો વ્યર્થ થશે. સમાધાન - ‘જાતિની જેમ વ્યક્તિનો પણ અવસરે આશ્રય કરવામાં આવે છે આ વાતનું જ્ઞાપન કરવા વર્ણસમાસ્નાયમાં દીર્ઘ વર્ગોનો પાઠ દર્શાવ્યો હોવાથી તે વ્યર્થ નહીં ઠરે. આશય એ છે કે શબ્દથી વાચ્ય પદાર્થ કોણ બને ? આ વાતને લઈને બે પક્ષ છે : જાતિપક્ષ અને વ્યક્તિપક્ષ), જાતિપક્ષવાળા મીમાંસકો એમ કહે છે કે શબ્દ દ્વારા જાતિનું પ્રતિપાદન થાય. જ્યારે વ્યક્તિ પક્ષવાળા નૈયાયિકો એમ કહે છે કે શબ્દ દ્વારા જાતિના આશ્રય (A) મેના ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આમ ત્રણ ભેદ થાય છે. વળી તે ત્રણના સાનુનાસિક અને નિરનુનાસિક એમ બે ભેદ હોવાથી “છ” ભેદ થયા. ફરી તે “છ” ભેદના હસ્વ, દીર્ધ અને પ્લત એમ ત્રણ ભેદ હોવાથી આ ના અઢાર ભેદ થાય છે. આમ દીર્ધ (એટલે કે મા) એ ગનો જ ભેદ હોવાથી તેમાં ગત્વ જાતિ રહે છે. આ રીતે વિગેરે અંગે પણ સમજવું. બન્ને પક્ષની દલીલોને વિસ્તારથી જાણવા સિદ્ધહેમ ખૂ. ન્યાસ અધ્યાય-૧, પાદ-૪ના અમારા ગુર્જર વિવરણ ના પરિશિષ્ટ-૩ માં નાતિપક્ષ અને પક્ષ શબ્દ જુઓ.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy