SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અભેદરૂપે વિવક્ષા હશે તો અનુકાર્યમાં અર્થવત્ત્વ ન હોવાના કારણે તેનાથી અભિન્ન અનુકરણમાં પણ અર્થવત્ત્વનો અભાવ હોવાથી અનુકરણને નામસંજ્ઞા નહીં થાય. તેથી અનુકરણ સ્વરૂપ ‘m’ ને નામસંજ્ઞા ન થવાથી વિભક્તિના પ્રત્યયો ન લાગતા ોરૂપે જ રહેવાના કારણે ો + તિ + ઞયમ્ + ઞાહ = વિત્યયમા પ્રયોગ થશે. (૨) અનુકાર્યઅનુકરણની જ્યારે ભેદ રૂપે વિવક્ષા હશે, ત્યારે અનુકાર્યમાં ભલે અર્થવત્ત્વ ન હોય, છતાં તેની ગ્ + ઓ... વર્ણાવલી સ્વરૂપ જે અર્થ (વસ્તુ) છે, તેનું ો શબ્દ (અનુકરણ) પ્રતિપાદન કરનાર હોવાથી અર્થાત્ અનુકરણ શબ્દ અનુકાર્ય શબ્દના સ્વરૂપાત્મક અર્થનો બોધક હોવાથી તે અર્થવાન છે, તેથી તેને નામસંશા થશે. જેમકે કો’ક વ્યક્તિ ‘પવૃતિ’બોલે તો તેનું ભેદવિવક્ષાએ અનુકરણ કરનાર ‘પતિમા’ એવો પ્રયોગ કરશે. અર્થાત્ પતિ અર્થવાન થવાથી તેને નામ સંજ્ઞા થવાથી સ્વાતિ નો અમ્ પ્રત્યય થશે. તે જ પ્રમાણે ‘વ: સમુર્વ્યયે’, ‘નેવિંશ: રૂ.રૂ.૨૪’, ‘પરાવેર્નેઃ રૂ.રૂ.૨૮' અહીં ક્રમશઃ = અવ્યય તથા વિદ્ અને ખ્રિ ધાતુનું ભેદ વિવક્ષાએ અનુકરણ હોવાથી તે અર્થવાન થતા નામસંજ્ઞા થવાથી તેમને વિના પ્રત્યયો થયા છે. જો કે અવ્યય નામસંજ્ઞક હોવા છતાં તેને લાગેલા વિભક્તિના પ્રત્યયો લોપાઇ જાય તથા ધાતુને સ્થાવિવિભક્તિના પ્રત્યયો ન લાગી શકે. પરંતુ અહીં તે અવ્યય અને ધાતુનું ભેદ વિવક્ષાએ અનુકરણ છે. માટે 7 અવ્યય તથા વિદ્ અને નિ ધાતુની વર્ષાવલી રૂપ અર્થના બોધક ક્રમશઃ = શબ્દ અવ્યય ન ગણાય તથા વિદ્ અને નિ શબ્દ ધાતુ ન ગણાતા નામસંશક બનેલા તેઓને અહીં સ્યાવિ વિભક્તિની ઉત્પત્તિ થઇ છે. શંકા ઃ- ઉચ્ચારણશક્તિવિકલતાવશ કોઇ વ્યક્તિ નૌઃ ને બદલે જો એવો અયથાર્થ પ્રયોગ કરે તો પણ તેનાથી ખાંધ-શિંગડા-પૂંછડી અને સાસ્નાદિવાળો ગાયપદાર્થ તો પ્રતીત થાય છે જ. તો ‘ો અનુકાર્યમાં અર્થવત્ત્વ ન હોય’ એવું તમે કેમ કહ્યું ? (મૂળ અહીં શંકાકાર ો અનુકાર્યને અર્થવત્ બતાવી અભેદ વિવક્ષા મુજબ તેનાથી અભિન્ન ો અનુકરણને પણ અર્થવત્ બતાવી નામસંજ્ઞા કરવા માંગે છે) સમાધાન તમારી વાત સાચી છે કે અયથાર્થ એવા ો શબ્દ દ્વારા અર્થપ્રતીતિ થાય છે. પરંતુ ત્યાં સાક્ષાત્ ો શબ્દ દ્વારા અર્થપ્રતીતિ નથી થતી, પરંતુ યથાર્થ એવા ગોઃ શબ્દ દ્વારા અર્થપ્રતીતિ થાય છે. મૂળ સંભળાયેલો અયથાર્થ નો શબ્દ ઃ એવા યથાર્થ શબ્દપ્રયોગનું સ્મરણ કરાવે છે ને તેના દ્વારા અર્થપ્રતીતિ થાય છે. = આવું કેમ ? તો દરેક શબ્દનો અમુક ચોક્કસ અર્થમાં સંકેત હોય છે. તેથી તે તે શબ્દના શ્રવણથી તે તે ચોક્કસ અર્થની પ્રતીતિ થતી હોય છે. સંકેત વિનાનો શબ્દ અર્થનું પ્રતિપાદન કરવામાં અસમર્થ હોય છે. અયથાર્થ શબ્દો સંકેત વિનાના હોય છે. કોઇપણ અર્થવિશેષમાં તેમનો સંકેત હોતો નથી. કેમકે જો તેમનો અર્થમાં સંકેત માનીએ તો અતિપ્રસંગ દોષ આવે. તેથી તેવા શબ્દો અર્થનું પ્રતિપાદન કરવામાં અસમર્થ હોય છે. જો અયથાર્થ પ્રયોગ હોવાથી તેના દ્વારા ગાયબળદ વિગેરે પદાર્થની પ્રતીતિ શક્ય જ નથી, છતાં પ્રતીતિ થાય છે. તેથી માનવું પડશે કે “ો શબ્દ ોઃ નું સ્મરણ કરાવવા દ્વારા અર્થપ્રતીતિ કરાવે છે.’ આમ ો (અનુકાર્ય) માં અર્થવત્ત્વ અસિદ્ધ છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy