SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - તમારી વાત બરાબર નથી. કારણ લોકમાં તો અવયવો જ અર્થવાનું હોય છે, સમુદાય નહીં. આથી અવયવો જ ફળને ભજનારા થાય છે, સમુદાય નહીં. જે નગરજનો પાસે ધન કે ગાયો હોય તેને જ તે ધન, ઘી કે દૂધ વિગેરે ઉપયોગમાં આવે છે, બીજા નગરજનોને નહીં. તો પછી મર્યામિ નાર ઈત્યાદિ પ્રયોગો કેમ કરાય છે ? તો સમજવાનું કે સમુદાયમાં માલ્યત્વ વિગેરે ધર્મનો પ્રધાનતાએ અસંભવ હોવાથી અવયવના ધર્મનો સમુદાયમાં ઉપચાર કરીને એ રીતના પ્રયોગો કરી શકાય છે. આપણી ચર્ચામાં તો પદસમુદાયમાં પ્રધાનતાએ અર્થવત્તા સંભવે છે. (જેમકે સાધુઈને કૂતે આ પદસમુદાયમાં પ્રધાનતાએ અર્થવત્તા છે, તેથી અવયવની અર્થવત્તાનો સમુદાયમાં ઉપચાર કરવામાં કોઇ પ્રમાણનથી. તેથી‘પદ અર્થવાનું છે, માટે ઉપચારથી પદસમુદાય પણ અર્થવાનું છે એવું તમે નહીં કહી શકો અને પદસમુદાય જો અર્થવાનું નથી, તો નામસંજ્ઞાની તેને પ્રાપ્તિ પણ નથી. બીજી રીતે તમારા પ્રશ્નનો જવાબ આપીએ તો નાટ્યમ નરમ્, જોરિ નર સ્થળે અવયવધર્મનો સમુદાયમાં ઉપચાર છે જ નહીં, પરંતુ રોડચ ફ્રતિ ઊં, અહીં જેમ યૌગિક વ્યુત્પત્તિને લઇને) વ્યપદેશ કરાયો છે, તેમ માલ્યા. સ િઆવ્યુત્પત્તિને લઇને 'પ્રાણ્યિ: ૭.૨.૪૬ સૂત્રથી મત્વર્ગીય મ પ્રત્યય લાગીને મારા શબ્દ બન્યો છે. તેમજ મિત્ શબ્દ મન્ત: સત્સંક્ષ્મિ વ્યુત્પત્તિ પ્રમાણે 'ગોપૂર્વાવતo(A) ૭.૨.પ૬ સૂત્રથી કોમર્ શબ્દને | પ્રત્યે લાગી તે પૃષોદરાદિ ગણનો હોવાથી | પ્રત્યયનો લોપ થતા નિષ્પન્ન થયો છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જેમાં ધનાઢય લોકો વસે છે તેવું આ નગર અને જેમાં ગાયવાળા લોકો વસે છે તેવું આ નગર' આવો અર્થ થવાથી આખા નગરને ધનાઢચ કે ગોમત્ બતાવવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી અવયવધર્મનો સમુદાયમાં ઉપચાર માનવાની જરૂર પણ રહેતી નથી. (8) સૂત્રમાં શબ્દને નામસંજ્ઞાનું વિધાન કરાવે છતે શબ્દસમુદાયરૂપ વાક્યને નામસંજ્ઞાનો પ્રસંગ જ ન હતો. છતાં સૂત્રમાં વાક્યને નામસંજ્ઞાનો પ્રતિષેધ કર્યો છે, તેનાથી જ જણાય છે કે શબ્દસમુદાયને પણ નામસંલ્લાની પ્રાપ્તિ માની છે. તેથી વાક્યભિન્ન સમાસાદિ (શબ્દસમુદાય) ને પણ જરૂર નામસંજ્ઞા થશે. (A) “પૂર્વાવત રુન્ ૭.૨.૫૬’ સૂત્રથી ત્રિ શબ્દની નિષ્પત્તિ માટે તે સૂત્રમાંથી ત: પદનો યોગવિભાગ કરવો. જેથી તે સૂત્રનો અર્થ જ શબ્દ છે પૂર્વમાં જેને એવા મ કારાન્ત શબ્દથી પ્રત્યય થાય છે' તેમન થતા શબ્દપૂર્વકના કોઇપણ શબ્દને રૂ પ્રત્યય થાય છે' આવો થવાથી જાત્રા શબ્દ ના કારાન્ત હોવા છતાં તેને તે સૂત્રથી રૂ પ્રત્યય થઈ શકવાના કારણે ત્ર શબ્દ બની શકે. શબ્દની નિષ્પત્તિ આ પ્રમાણે સમજવી. વાં સમૂહ: આ અર્થમાં જે શબ્દને ત્ર તેમજ માન્ પ્રત્યય લાગવાથી જોત્રા શબ્દ બને. પછી જોત્રાગટ્યૂમિ વ્યુત્પત્તિને લઇને નોત્રા શબ્દને રુ પ્રત્યય લાગવાથી નત્રિ શબ્દ બને છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy