SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૦ (૨) બ્રહ્મવિયો વ: –અહીં ‘વ્યવસ્થા” અર્થમાં આદિ’ શબ્દ છે. સમાજવ્યવસ્થા બ્રાહ્મણાદિ જ જાતિરૂપે વ્યવસ્થિત કરાઇ છે, તેથી બ્રાહ્મણ છે આદિ જે વ્યવસ્થામાં તે (અર્થાત્ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર) જાતિઓ છે.' એવો અર્થ થશે. (૩) ગઢિયા રેવત્તા: – અહીં ‘આદિ' શબ્દ ‘પ્રકાર” અર્થમાં છે. પ્રકાર એટલે સાદશ્ય. તેથી ‘જેવો દેવદત્ત આઢયતાથી યુક્ત છે, તેવા જ આ લોકો પણ છે', એવો અર્થ પ્રાપ્ત થશે. (૪) તમાચો JI: અહીં ‘આદિ' શબ્દ “અવયવ અર્થમાં છે. તેથી સ્તંભ છે આદિ અવયવ જે અવયવોમાં તે અવયવો અર્થાત્ સ્તંભ-બારી-બારણા-ભીંત-છાપરું વિગેરે અવયવોનો સમુદાય ઘર છે.' એવો અર્થ થશે. સૂત્રમાં 'રિ'માં જે મારિ છે, તે આ ચારમાંથી કયા અર્થમાં વર્તે છે ? તે વિચારીએ. (૧) જો અહીં આદિ’ ને સામીપ્ય અર્થમાં લઈએ તો – ‘ની સમીપમાં હોય તે વ્યંજન કહેવાય એવો સૂત્રાર્થ થશે. મતલબ કે ' પોતે વ્યંજન નથી, વિગેરે વ્યંજન છે' એવો અર્થ થશે. એ Q વિગેરેનું ‘ઉપલક્ષણ બનશે. હવે નિયમ છે કે – “નક્ષri શાર્વેનુપો' (ઉપલક્ષણ કાર્યમાં અનુપયોગી છે.) જેમકે - “વિત્ર ગુરાનીયતા એવું કો'કને કહીએ તો તે સાંભળીને પેલો કાબરચીતરી ગાયોથી ઉપલક્ષિત (ઓળખાતા) એવા તેના માલિકને (પુરુષને) લઈને આવશે, કાબરચીતરી ગાયોને નહીં. કારણ કે કાબરચીતરી ગાય એ ઉપલક્ષણ છે. તેથી માનવન સ્વરૂપ કાર્યમાં જેમ ગાય અનુપયોગી છે, તેમ પ્રસ્તુતમાં એ વૂ વિગેરેનું ઉપલક્ષણ બનવાના કારણે ચન એવા સંજ્ઞાકાર્યમાં અનુપયોગી બનશે અર્થાત્ તેને વ્યંજનસંજ્ઞા નહીં થાય. જ્યારે ને પણ વ્યગ્નન સંજ્ઞા તો કરવી છે, માટે અહીં ‘આદિ' નો સામીપ્ય અર્થ અસંગત છે. (૨) આદિ’ નો વ્યવસ્થા અર્થ પણ ઘટતો નથી. કારણ કે વર્ણસમા—ાય અનાદિકાળથી વ્યવસ્થિત જ છે, તેની ક્યારેય વ્યવસ્થા કરવામાં આવી નથી. હા, પૂર્વવર્ણો વ્યવસ્થિત ન હોત ને પછીથી વર્ણવ્યવસ્થા કરવામાં આવી હોત તો કહેવું પડત કે - જે વ્યવસ્થામાં જ વર્ણ આદિમાં કરાયો છે તે કારિ’. પણ અહીં તો તેવું છે નહીં. ની આદિમાં વ્યવસ્થા અને ની આદિમાં અવ્યવસ્થા; આવી બે અવસ્થા હોય તો અહીં વ્યવસ્થા સ્વરૂપ વિશેષણ સાર્થક થાય. કારણ કે ન્યાય છે કે મારે મારે ર વિશેષાર્થિવ પણ અહીં તો છે વર્ણ અનાદિકાળથી આદિમાં વ્યવસ્થિત જ છે. તેથી વ્યભિચારનો અભાવ હોવાથી વ્યવસ્થા વિશેષણ અનર્થક હોવાથી રિ નો વ્યવસ્થા અર્થ નહીં ઘટે. (A) જે વિશેષ્યમાં વિશેષણનો સંભવ (= સંબંધની યોગ્યતા) હોય અને વિશેષણનો વ્યભિચાર (= વિશેષણ વિના પણ પ્રાપ્ત થવું) હોય, તે વિશેષ્યને વિશે વિશેષણનું કથન સાર્થક બને છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy