SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય પ્રત્યે વડિલનું નાથપણું ઘટે. કારણકે જે યોગ અને ક્ષેમ કરે તે જ નાથ કહેવાય. (જરૂરી) જે ન મળ્યું હોય તેને મેળર્વ આપવું તે યોગ કહેવાય. જે મળ્યું હોય તેનું રક્ષણ કરવું તે ક્ષેમ કહેવાય. (૩૭). તથા (૧૨) ગર્ચે જ્ઞાન- વિરલે રટા રૂતિ गयें गर्हणीये कुतोऽपि लोकविरु द्धाद्यनाचारासेवनान्निन्दनीयतां प्राप्ते भर्तव्ये सामान्यतो वा सर्वस्मिन् जने किं विधेयमित्याह-ज्ञानं संशय-विपर्यया-ऽनध्यवसायपरिहारेण यथावत् स्वरूपनिश्चयः, स्वगौरवरक्षा, स्वेन आत्मना गौरवं पुरस्करणं स्वगौरवं तस्य रक्षा निवारणम्, ततो ज्ञानं च स्वगौरवरक्षा च ज्ञान-स्वगौरवरक्षे कर्तव्ये, गर्यो यर्थः सम्यग् ज्ञातव्यः प्रथमतः, ततोऽनुमतिदोषपरिहाराय सर्वप्रकारैर्न पुरस्कारस्तस्य कर्त्तव्य इति /રૂ૮ી. કોઇ નિંદનીય બને તો જ્ઞાન અને સ્વગૌરવની રક્ષા કરવી. પોષ્ય પરિવારમાંથી કોઈ એક પુરુષ અથવા સઘળો પરિવાર લોકવિરુદ્ધ અનાચારનું સેવન કરવાના કારણે નિંદનીય બન્યો હોય તો તેનું જ્ઞાન કરવું, અર્થાત્ તેની વિગતો બરોબર જાણવી. ભાવાર્થ - પહેલાં એ ચોકસ કરવું જોઈએ કે જે નિંદનીય બન્યો છે તેણે ગુનો કર્યો છે કે નહિ? હવે જો તેણે ગુનો કર્યો છે એવો ચોક્કસ નિર્ણય થાય તો પછી સ્વગૌરવ રક્ષા કરવી. સ્વથી = પોતાનાથી ગૌરવની = સત્કારની રક્ષા = નિવારણ, અર્થાત્ પોતાના નિમિત્તે ગુનેગારનો સત્કાર થાય = મહત્તા વધે) તેવી કોઈ પ્રવૃત્તિ ન કરવી. જેથી ગુનેગારના દોષની અનુમોદના રૂપ દોષ પોતાને ન લાગે. અહીં જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે છે :- સંશય, વિપર્યય અને અનધ્યવસાયનો ત્યાગ કરીને યથાર્થ સ્વરૂપનો નિર્ણય તે જ્ઞાન. (સંશય આદિનો અર્થ આ પ્રમાણે છેઃ- આ આમ છે કે આ આમ નથી? એમ પરસ્પર બે વિરુદ્ધ અર્થનું જ્ઞાન તે સંશય. જેમ કે “હું આત્મા છું કે શરીર છું?” ઈત્યાદિ. યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું “આ આમ જ છે' એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમ કે - “હું શરીર જ છું'ઈત્યાદિ. “આ કંઈક છે' એવી નિશ્ચયથી રહિત વિચારણા તે અનધ્યવસાય. જેમ કે હું કોઈક છું” ઈત્યાદિ.) (૩૮) તથા– (૨૦) રેવા-તિથિ-રીનપ્રતિપત્તિઃ પર તિ दीव्यते स्तूयते भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिभिर्भव्यैरनवरतमिति देवः, स च ૪)
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy