________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
મહાત્માઓ હમણાં જેનું સ્વરૂપ કહ્યું છે તે સાધુપણાને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સારી રીતે આરાધીને આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ પામે છે. કલ્યાણનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. (૪).
एतदेव विवरीषुराह
क्षीराश्रवादिलब्ध्योघमासाद्य परमाक्षयम्;
कुर्वन्ति भव्यसत्त्वानामुपकारमनुत्तमम् ॥५॥ इति । क्षीरं दुग्धं श्रोतृजनकर्णपुटेषु आश्रवति क्षरति भाषमाणो यस्यां लब्धौ सा क्षीराश्रवा, आदिशब्दान्मध्वाश्रवा सर्पिराश्रवा अमृताश्रवा चेत्यादिको यो लब्थ्योघो लब्धिसङ्घातः तम् आसाद्य उपलभ्य परमाक्षयं परमं सर्वसुन्दरं अक्षयं च अनेकदा उपजीव्यमानमपि अनुपरमस्वभावम्, किमित्याह- कुर्वन्ति विदधति भव्यसत्त्वानाम् उपकर्तुं योग्यानाम् उपकारं सम्यक्त्व-ज्ञान-चारित्रलाभलक्षणम् अनुत्तमं निर्वाणैकफलत्वेन अन्योपकारातिशायिनमिति ।।५।।
આનું (= આ લોક - પરલોકના કલ્યાણનું) જ વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે. -
પરમ અને અક્ષય એવા ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિસમૂહને મેળવીને ભવ્યજીવો ઉપર સર્વોત્તમ ઉપકાર કરે છે. જે લબ્ધિમાં બોલનાર વ્યક્તિ શ્રોતા લોકના કર્ણપુટોમાં દૂધને ઝરે (= ઝરાવે) તે ક્ષીરાશ્રવલબ્ધિ. આદિ શબ્દથી મધ્વાશ્રવ, સર્પિરાઢવ, અમૃતાશ્રવ વગેરે લબ્ધિઓ સમજવી.
પરમ =સર્વમાં શ્રેષ્ઠ. અક્ષય = અનેકવાર ઉપયોગ કરવા છતાં જેનો ક્ષય ન થાય છે. ભવ્યજીવો = ઉપકાર કરવાને યોગ્ય એવા ભવ્યજીવો. ઉપકાર = સમ્યકજ્ઞાન - ચારિત્રની પ્રાપ્તિરૂપ ઉપકાર. સર્વોત્તમ = નિર્વાણ જ (મુખ્ય) ફલ હોવાના કારણે અન્ય (સર્વ) ઉપકારોથી ચઢિયાતો. (૫)
તથા -
मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमासात्। જન્મ-મૃત્યુ-ગરી-વ્યાધિ-રોગ-શોધુપકૃતાત્ દારૂતિ !
૨૯૧