SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય कष-च्छेदयोः परीक्षाऽक्षमत्वेन आदरणीयतायाम् अयत्नः अतात्पर्य मतिमतामिति //રૂ II તે જ બતાવે છે : કષ અને છેદમાં યત્ન ન કરવો. કષ અને છેદ અમુક વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ એની પરીક્ષા સહન કરી શકે તેમ ન હોવાથી તે બેમાં યત્ન ન કરવો, અર્થાત્ બુદ્ધિમાન પુરુષોએ એ બેનો આદર કરવામાં તત્પર ન બનવું. (૩૯) कुत इत्याह तद्भावेऽपि तापाभावेऽभावः ॥४०॥९८॥ इति । तयोः कषच्छेदयोः भावः सत्ता तद्भावः, तस्मिन्, किं पुनरतद्भाव इत्यपिशब्दार्थः, किमित्याह- तापाभावे उक्तलक्षणतापविरहे अभावः परमार्थतः असत्तैव परीक्षणीयस्य, न हि तापे विघटमानं हेम कष-च्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलम्, जातिसुवर्णत्वात् तस्य ||४०।। કષ અને છેદમાં યત્ન શા માટે ન કરવો તે કહે છે : કષ અને છેદ હોય તો પણ જો તાપ ન હોય તો પરીક્ષા કરવા યોગ્ય વસ્તુનો અભાવ છે. તાપ ન હોય તો કષ-છેદ હોય તો પણ જો પરીક્ષણીય વસ્તુનો અભાવ છે તો પછી કષ-છેદ ન હોય તો પરીક્ષણીય વસ્તુનો અભાવ હોય એમાં તો શું કહેવું ? એમ “પણ” શબ્દનો અર્થ છે. કષ અને છેદ હોવા છતાં જેનું લક્ષણ પૂર્વે કહ્યું છે તે તાપ ન હોય તો પરમાર્થથી પરીક્ષા કરવા યોગ્ય વસ્તુની સત્તા નથી. તાપમાં પસાર ન થતું સોનું કષ - છેદ હોવા છતાં (= કષ - છેદની પરીક્ષામાં પસાર થવા છતાં) પોતાના સ્વરૂપને સ્વીકારવા સમર્થ થતું નથી. કારણકે તે માત્ર સુવર્ણની જાતિથી સુવર્ણ છે. (સુવર્ણના ધર્મથી સુવર્ણ નથી.) અર્થાત્ નકલી સુવર્ણ છે. ભાવાર્થ :- જેમ સોનું કષ અને છેદની પરીક્ષામાં પસાર થઈ જાય તો પણ તાપ પરીક્ષામાં પસાર ન થાય તો તે સોનું અશુદ્ધ છે, તેમ કોઈ શાસ્ત્ર કષ અને છેદની પરીક્ષામાં પસાર થઈ જાય તો પણ જો તાપ પરીક્ષામાં પસાર ન થાય તો. તે શાસ્ત્ર શુદ્ધ શાસ્ત્ર નથી. માટે બુદ્ધિમાન પુરુષોએ કષ અને છેદની પરીક્ષા કરી હોય તો પણ તાપની પરીક્ષા અવશ્ય કરવી જોઇએ. (૪૦)
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy