SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર દ્વારમાં દ્રવ્યપ્રમાણ ૧૫૫ કેટલાક સંખ્યાતકાળે સિદ્ધ થાય છે. કેટલાક સમત્વથી પડ્યા વિના સિદ્ધ થાય છે. ૧૨) અંતર - સિદ્ધ થનારાનું જઘન્ય અંતર - ૧ સમય સિદ્ધ થનારાનું ઉત્કૃષ્ટ અંતર – ૬ માસ ૧૩) અનુસમય (નિરંતર) - જઘન્યથી ર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ૧૪) ગણના - જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે. દા.ત. ઋષભદેવપ્રભુના નિર્વાણ વખતે ૧૦,૦૦૦ મુનિઓ સિદ્ધ થયા. તેમાંથી ૧ સમયે ૧૦૮ મુનિઓ સિદ્ધ થયા. શેષ ૯૯,૮૯૨ મુનિઓ તે જ નક્ષત્રમાં અન્ય અન્ય સમયોમાં સિદ્ધ થયા. ૧૫) અલ્પબદુત્વ - ૧ સમયમાં એક સાથે ૨, ૩ વગેરે સિદ્ધ થયેલા અલ્પ છે. તેમના કરતા ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થયેલા સંખ્યાતગુણ છે, વિવક્ષિત સમયે ૧ સિદ્ધ થયેલા ઘણા હોવાથી. (ii) દ્રવ્યપ્રમાણ - (૧) ક્ષેત્ર - ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય? | ઉત્કૃષ્ટ ઊર્ધ્વલોક,મેરુપર્વત, નંદનવન,જલ°| ૪ (સંહરણથી) | ૧ અધોલોક (અધોલૌકિક ગ્રામ) ૨૦ પૃથક્વ ક્ષેત્ર જઘન્ય ૧. જિનભદ્રગણિક્ષમાશ્રમણજીકૃત બૃહત્સંગ્રહણિમાં કહ્યું છે કે – “જલમાં ૩ સિદ્ધ થાય છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. ૨. પૃથત્વ =૨ થી ૯. જિનભદ્રગણિક્ષમાશ્રમણજીકૃત બૃહત્સંગ્રહણિમાં કહ્યું છે કે – “અધોલોકમાં ૨૨ સિદ્ધ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે – “અધોલોકમાં બે વીશ એટલે ૪૦ સિદ્ધ થાય છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy