________________
ભાવાનુવાદકારની પ્રશસ્તિ પરમપૂજય વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજ વિરચિત અને પરમપૂજ્ય આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ વિરચિત લઘુટીકા સહિત શ્રી પ્રશમરતિ પ્રકરણનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજીમહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રદ્યોતક વર્ધમાન તપોનિધિ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), નવપદ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્યશ્રી રાજશેખરસૂરિજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
પ્રારંભ સમય વિ.સં. ૨૦૬૧, કાર્તિક વદ ૫.
પ્રારંભ સ્થળ સંભવનાથ જિનમંદિરનો ઉપાશ્રય, વિરાર (વેસ્ટ), મહારાષ્ટ્ર,
સમાપ્તિ સમય વિ.સં. ૨૦૬૧, ચૈત્ર સુદ ૩.
સમાપ્તિ સ્થળ કુસુમ-અમૃત આરાધના ભવન, શાંતિનગર, વાપી. (દ.ગુ.)
પ્રશમરતિ - ૨૫૧