SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આધાર સ્કંધમાં રહેલા પરમાણુ ઉપર છે. જે સ્કંધમાં બે પરમાણુ હોય તે અંધ બે પ્રદેશવાળો છે. જે સ્કંધમાં ત્રણ પરમાણુ હોય તે સ્કંધ ત્રણ પ્રદેશવાળો છે... એમ જે સ્કંધમાં અનંતા પરમાણુ હોય તે સ્કંધ અનંત પ્રદેશવાળો છે. (૨૦૮) षट् द्रव्याणि कस्मिन् भावे वर्तन्ते इत्यावेदयन्नाहभावे धर्माधर्माम्बरकालाः पारिणामिका ज्ञेयाः । उदयपरिणामि रूपं, तु सर्वभावानुगा जीवाः ॥ २०९ ॥ भावे पारिणामिके धर्माधर्माम्बरकालाः चत्वारो ज्ञेया-ज्ञातव्याः, अन्य भावाप्रवृत्तेः, एते चत्वारोऽरूपाः, रूपं तु-पुद्गलद्रव्यं पुनरुदयपरिणामि वर्तते, औदयिके पारिणामिके भावे पुद्गला वर्तन्ते इत्यर्थः, तत्रौदयिको भावः स्कन्धपरमाणूनां वर्णरसादिपरिणामः, पारिणामिके परमाणु (त्वादि) इत्यजीवाः पञ्चधा । जीवाः सर्वभावानुगाः-यथासम्भवं द्व्यादिभाववन्त इति ॥ २०९ ।। | | તિ પવિઘ દ્રવ્યું છ દ્રવ્યો કયા ભાવમાં વર્તે છે એને જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો પારિણામિક ભાવે રહેલા છે. રૂપ=પુદ્ગલ દ્રવ્ય ઔદયિક અને પારિણામિક ભાવે રહેલ છે. જીવો સર્વભાવોને અનુસરે છે. ટીકાર્થ- (વસ્તુના પરિણામથી=વસ્તુના પોતાના જ સ્વાભાવિક સ્વરૂપથી થયેલ ભાવ તે પારિણામિક ભાવ.) ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી દ્રવ્યો પારિણામિક ભાવમાં હોય. પુદ્ગલદ્રવ્ય ઔદયિક અને પારિણામિક એમ બે ભાવમાં હોય. પ્રશ્ન- પૂર્વે ૧૯૬મી ગાથામાં “કર્મના ઉદયથી થતો પરિણામ તે ઔદયિક ભાવ” એમ કહ્યું છે. પુદ્ગલ દ્રવ્યને કર્મનો ઉદય ન હોવાથી તેને ઔદયિક ભાવ કેવી રીતે હોય? ઉત્તર- અહીં સકંધ અને પરમાણુમાં રહેલા વર્ણ-રસ-ગંધ-સ્પર્શનો પરિણામ ઔદયિક ભાવ તરીકે વિવક્ષિત છે. આ અપેક્ષાએ પુદ્ગલમાં ઔદયિક ભાવ હોય. પ્રશમરતિ • ૧૭૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy