SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અથાડતાડપતવિશેષા એ શબ્દોથી બાકીના ચાર વિકલ્પોનું સૂચન કર્યું છે. બાકીના ચાર વિકલ્પો આ પ્રમાણે છે- (૪) વવવ્ય : (૫) સ્થાતિ વ્યવ્ય (૬) ચન્નતિ વ્ય(૭) સ્થાપ્તિ ચન્નતિ પ્રવજી વ્ય. સાત વિકલ્પોની ઘટના– દરેક વસ્તુ સ્વરૂપે સત્ છે એ દષ્ટિએ ચીત એમ પ્રથમ વિકલ્પ છે. દરેક વસ્તુ પરરૂપે નથી એ દષ્ટિએ ઉન્નત્તિ એમ બીજો વિકલ્પ છે. ઉક્ત બંને વાક્યોને ભેગા કરવાથી (=એક વાક્ય કરવાથી) સ્થાપ્તિ થાજ્ઞાતિ એમ ત્રીજો વિકલ્પ બને છે. ત્રીજા વિકલ્પથી ક્રમશઃ સત્ત્વનું અને અસત્ત્વનું પ્રતિપાદન થાય છે. ત્રીજો વિકલ્પ પૂર્વના બે વિકલ્પોના સરવાળા રૂપ હોવાથી પૂર્વના બે વિકલ્પોથી થયેલ સમજ ત્રીજા વિકલ્પથી દઢ બને છે. કોઈ એમ કહે કે વસ્તુ અપેક્ષાએ સત્ છે અને અપેક્ષાએ અસત્ છે એ સિદ્ધાંત ક્રમ વિના એકી સાથે સમજાવો; તો કહેવું પડે કે, તે સિદ્ધાંત એકી સાથે કહી શકાય તેમ નથી. કારણ કે સત્ત્વ અને અસત્ત્વ એકી સાથે કહી શકાય તેવો એક પણ શબ્દ નથી. આથી વ : (સત્ત્વ અને અસત્ત્વ એકી સાથે કહી શકાય તેમ નથી.) એમ ચોથો વિકલ્પ બને છે. અથવા કોઈપણ વસ્તુને પરપર્યાયોથી અને સ્વપર્યાયોથી એકી સાથે વિચારવામાં આવે તો તેને સત્ પણ ન કહેવાય અને અસત્ પણ ન કહેવાય. આથી જયારે એકી સાથે વિરુદ્ધ બે ધર્મોની વિવક્ષા કરવામાં આવે ત્યારે વસ્તુ કેવી છે તે વચનથી કહી શકાય તેમ ન હોવાથી અવક્તવ્ય છે. આ દૃષ્ટિએ પણ “વિશ્વ:' એમ ચોથો વિકલ્પ બને છે. જ્યારે સ્વરૂપે તથા એકી સાથે સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્થાપ્તિ થાવ: (અપેક્ષાએ-સ્વરૂપે વસ્તુ છે અને અપેક્ષાએ-સ્વપર ઉભય રૂપે વસ્તુ કેવી છે તે કહી શકાય તેમ નથી.) એમ પાંચમો વિકલ્પ બને છે. જ્યારે પર રૂપે અને સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે ચન્નતિ થાવ વ્ય% (પર રૂપે વસ્તુ નથી, એકી સાથે સ્વ-પર ઉભયરૂપે વસ્તુ અવક્તવ્ય છે.) એમ છઠ્ઠો વિકલ્પ થાય છે. પ્રશમરતિ ૦ ૧૬૯
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy