SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ક્ષાયોપથમિક- કર્મના ક્ષયોપશમથી થયેલ ભાવ લાયોપથમિક છે. ક્ષાયોપથમિક ભાવના મતિજ્ઞાન વગેરે ૪ જ્ઞાન, મતિઅજ્ઞાન વગેરે ૩ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એમ ૩ દર્શન, દાન વગેરે ૫ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને દેશવિરતિ એમ ૧૮ ભેદો છે. (૬) સાન્નિપાતિક- સન્નિપાત એટલે સંયોગ. સન્નિપાત છે પ્રયોજન એનું એ અર્થમાં તદ્ધિત રૂ પ્રત્યય આવતાં સાન્નિપાતિક શબ્દ બન્યો છે. સંયોગથી થયેલા ભાવો સાન્નિપાતિક ભાવો છે. (આ ભાવ ઔપથમિક આદિની જેમ સ્વતંત્ર ભાવ નથી, કિંતુ પાંચ ભાવોના પરસ્પર બે આદિના સંયોગથી થાય છે.) તેમાં ઔદયિક આદિ પાંચ ભાવોના દ્રિક (બે) આદિના સંયોગથી છવીસ ભાંગા થાય છે. (તે આ પ્રમાણે- હિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃસંયોગી ૫, પંચસંયોગી ૧ આ ૨૬ ભેદોમાં ૨૦ ભેદો અસંભવિત છે =કોઈ પણ જીવમાં ન સંભવી શકે એવા છે. જેમ કે દ્વિસંયોગીમાં ઔદયિક અને ક્ષાયિક એ ભાવ કોઈપણ જીવમાં ન હોય. આવા અસંભવિત ૨૦ ભેદોને બાદ કરીને સંભવિત છ ભેદોમાં ૩ ભેદોવાળા જીવો ચારે ગતિમાં હોવાથી ત્રણ ભેદોને ચાર ગુણા કરવાથી કુલ (૧૨ + ૩ =) ૧૫ ભેદો થાય. તે છમાં.) પહેલો હિક સંયોગવાળો પારિણામિક-ક્ષાયિકરૂપ ભાંગો સિદ્ધોને હોય. બીજો ત્રિક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયિકરૂપ ભાંગો કેવલીને હોય. ત્રીજો ત્રિક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયોપથમિક ભાગો ચારે ગતિનાં જીવોને હોય. ચોથો ચતુષ્ક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ઔપથમિકલાયોપથમિક રૂપ ભાગો ચારે ગતિના જીવોને હોય. પાંચમો ચતુષ્ક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક રૂપ ભાંગો ચારે ગતિના જીવોને હોય. છઠ્ઠો પંચક સંયોગવાળો ઔદયિક-પારિણામિક-ઔપથમિક-ક્ષાયિકક્ષાયોપથમિક રૂપ ભાંગો મનુષ્યોને હોય. પ્રશમરતિ • ૧૫૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy