________________
સાકાર=વિશેષને ગ્રહણ કરનાર, અર્થાત્ વસ્તુને વિશેષથી જાણનાર.
અનાકાર=સામાન્યને ગ્રહણ કરનાર, અર્થાત્ વસ્તુને સામાન્યથી જાણનાર.] (૧૯૫)
આ પ્રમાણે ઉપયોગ અધિકાર પૂર્ણ થયો.
(૧૪) ભાવ અધિકાર एते द्वादशोपयोगा भावाः, अतः प्रस्तावादन्यानपि भावानादर्शयन्नाहभावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः, क्षयोपशमजश्च पञ्चेति ॥ १९६ ॥ भावाः-परिणतिविशेषाः, कस्य भवन्ति ? जीवस्य जायन्ते । कीदृशाः ? औदयिकः पारिणामिकः औपशमिकः क्षायिकः क्षायोपशमिकश्च पञ्चैते, कर्मणामुदयोपशमक्षयक्षयोपशमनिर्वृत्ताश्चत्वारः, पारिणामिकस्तु जीवाजीवानां પરિતિનિતિ || ૨૬૬ .
આ બાર ઉપયોગ જીવના ભાવો છે. આથી પ્રસંગથી બીજા પણ ભાવોને જણાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જીવના ઔદયિક, પારિણામિક, ઔપથમિક, ક્ષાયિક અને લાયોપથમિક એ પાંચ ભાવો છે.
ટીકાર્થ– ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ચાર ભાવો અનુક્રમે કર્મના ઉદયથી, ઉપશમથી, ક્ષયથી અને ક્ષપોપશમથી થયેલા છે. પરિણામિક ભાવ જીવનો પરિણામ છે, અર્થાત્ જીવનું પોતાનું જ સ્વાભાવિક સ્વરૂપ છે. જીવની જેમ અજીવનો પણ પરિણામિક ભાવ હોય છે.
[ઓપશમિક કચરો નીચે શમી જતાં જળની નિર્મલતાની જેમ કર્મોના ઉપશમથી (થોડા સમય માટે બિલકુલ ઉદયના અભાવથી) થતો શુભ પરિણામ.
ક્ષાયિક=કચરો સર્વથા નીકળી જતાં પાણીની શુદ્ધિની જેમ કર્મોના સર્વથા ક્ષયથી થતો શુભ પરિણામ.
ક્ષાયોપથમિક=ધોયેલા કોદ્રવમાં મદશક્તિની અપેક્ષાએ શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે તેમ, અથવા નીચે શમી ગયેલા કચરાવાળા પાણીને સામાન્ય
પ્રશમરતિ • ૧૪૯